Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત : નવા 1330 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 15 લોકોના મોત કુલ કેસનો આંક 105671 થયો :વધુ 1276 દર્દીઓ સાજા થતા કુલ 86034 લોકોએ કોરોના સામે જંગ જીત્યો

સુરતમાં સૌથી વધુ 286 કેસ,અમદાવાદમાં 172 કેસ, વડોદરામાં 128 કેસ, જામનગરમાં 107 કેસ, રાજકોટમાં 148 કેસ,ભાવનગરમાં 42 કેસ,કચ્છ અને સુરેન્દ્રનગરમાં 35-35 કેસ, પંચમહાલમાં 30 કેસ, , જૂનાગઢમાં 36 કેસ, અમરેલીમાં 24 કેસ નોંધાયા

રાજ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે આજે  નવા 1330 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 15 લોકોના મોત  થયા છે મૃત્યુઆંક 3123 થયો છે રાજ્યમાં કોરોનાના કુલ  કેસનો આંકડો 105671 થયો છે  આજે વધુ 1276  દર્દીઓ સાજા થતા કુલ  86034 લોકોએ કોરોના સામે જંગ જીત્યો  છે

 રાજ્યમાં આજે નોંધાયેલ 1335 પોઝિટિવ કેસમાં સુરતમાં સૌથી વધુ 286  કેસ,અમદાવાદમાં 172 કેસ, વડોદરામાં 128 કેસ, જામનગરમાં 107 કેસ, રાજકોટમાં 148 કેસ,ભાવનગરમાં 42 કેસ,કચ્છ અને સુરેન્દ્રનગરમાં 35-35 કેસ, પંચમહાલમાં 30 કેસ,  , જૂનાગઢમાં 36 કેસ, અમરેલીમાં 24 કેસ નોંધાયા છે

  રાજ્યમાં કુલ 16514 એક્ટિવ કેસ છે જેમાં  16425 લોકો સ્ટેબલ છે જયારે 89 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે

(7:32 pm IST)