Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

વડોદરા:પતિએ કરેલ આત્મહત્યાના સવા વર્ષ પછી પત્ની સહીત સાત આરોપી વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: પત્નીના અફેર અને વ્યાજખોરોના ત્રાસના કારણે બિલ્ડીંગ મટિરિયલના વેપારીએ સવા વર્ષ પહેલા ઝેરી દવા  પીને આપઘાત કરી લીધો હતો.જે બનાવમાં હેન્ડ રાઇટિંગ એક્સપર્ટનો રિપોર્ટ  આવ્યા પછી પોલીસે વેપારીની અંતિમ ચિઠ્ઠીના આધારે આપઘાત માટે મજબૂર કરનાર તેની પત્ની સહિત સાત લોકો સામે ગુનો દાખલ કર્યો છે.

મકરપુરા બસ ડેપોની પાછળ સમૃદ્ધિ કોમ્પલેક્સમાં રહેતા જીતેન્દ્ર સૂરજભાન શર્માની મકરપુરા જી.આઇ.ડી.સી.માં વિનાયક એન્ટરપ્રાઇઝ નામની લેથ મશીનની ફેક્ટરી છે.માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા.૦૩-૦૬-૨૦૨૧, ના  રોજ મારો દીકરો કુલદીપ તથા તેની પત્ની રેખા બંને અમદાવાદથી મારા  ઘરે આવ્યા હતા.અને ૭ મી જૂને કુલદીપના સસરા ધરમવીર શર્માનું આંખનું ઓપરેશન હોવાથી રેખાને અમદાવાદ લઇ ગયા હતા.૯ મી તારીખે હું મારી ફેક્ટરી પર હતો.તે સમયે મારા દીકરા  કુલદીપે મને ફોન કરીને કહ્યું હતું કે,મેં લોકોના પુષ્કળ દબાણના કારણે અને મારી પત્ની રેખાએ આપેલા દગાના કારણે ઝેરી દવા પી લીધી છે.આ લોકોને છોડશો નહીં.રેખાએ મારી સાથે ખોટું કર્યુ છે.અને મારી પત્ની રેખાના ગૌરવ નામના વ્યક્તિ સાથે આડા સંબંધ છે.

(4:56 pm IST)