Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

વર્ષ ૨૦૦૬ પહેલાના સીધી ભરતીથી નિમણૂક પામેલ તલાટી કમ મંત્રી, વર્ગ ૩ સંવર્ગના કર્મચારીઓને બાહેંધરી એફિડેવિટની શરત દૂર કરાઈ

ફિક્સ પગારની નીતિ પહેલાના સીધી ભરતીના તલાટી કમ મંત્રીઓને તારીખ ૦૧-૦૪- ૨૦૧૯થી એરિયસનો લાભ મળશે.

અમદાવાદ :  વર્ષ ૨૦૦૬ પહેલાના સીધી ભરતીથી નિમણૂક પામેલ તલાટી કમ મંત્રી,વર્ગ ૩સંવર્ગના કર્મચારીઓની ફિક્સ પગારની (૦૫) પાંચ વર્ષની સેવા, બદલી, પ્રવરતા, ઉચ્ચતર પગાર ધોરણ તથા નિવૃત્તિ વિષયક લાભોના પંચાયત વિભાગના તારીખ ૧૬-૦૯-૨૦૨૨ ના ઠરાવ માંથી બાંહેધરી એફિડેવીટની શરત દૂર કરવામાં આવેલ છે.

હવે તલાટીઓને બાંહેધરી આપવાની રહેશે નહીં તેમજ વર્ષ ૨૦૦૬ની ફિક્સ પગારની નીતિ પહેલાના સીધી ભરતીના તલાટી કમ મંત્રીઓને તારીખ ૦૧-૦૪-૨૦૧૯ થી એરિયસનો લાભ મળશે.

(11:10 pm IST)