Gujarati News

Gujarati News

News of Tuesday, 7th December 2021

નવસારીના 5 સહિત 8 માછીમાર લાપતા : મુંબઈ માછીમારી કરવા ગયેલા ખલાસી બોટ સહિત ગૂમ : પરિવારજનો ચિંતાતૂર

પહેલાં જગવંદન નામની બોટનો સંપર્ક તૂટ્યો:શોધખોળ કરવા છતાં ન બોટ ન મળતા બોટ માલિકે ફરિયાદ નોંધાવી

મુંબઈ માછીમારી કરવા ગયેલા નવસારીના 5 સહિત 8 કુલ માછીમાર લાપતા છે. 10 દિવસ પહેલાં જગવંદન નામની બોટનો સંપર્ક તૂટ્યો હતો. શોધખોળ કરવા છતાં ન બોટ ન મળતા બોટ માલિકે ફરિયાદ નોંધાવી છે.મધદરિયેથી બોટ લાપતા થતાં માછીમારોના પરિવારજનો ચિંતાતૂર બન્યા છે અને સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે.

8 માછીમાર સાથે જગવંદન નામની બોટ અરબ સાગરમાં માછીમારી ગઈ હતી. જે 0 દિવસ પહેલા દરીયામાં ગુમ થઈ હોવાની માહિતી સામે આવી છે. બોટની શોધખોળ સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવી હતી. તો સાથે જ એક અન્ય સ્થાનિક બોટ શોધખોળમાં લાગી હતી. પરંતુ 10 દિવસ બાદ પણ બોટની કોઈ માહિતી નથી મળી. ત્યારે બોટ ગુમ થયાની ફરિયાદ મુંબઈના માલિકે કરી છે. આ બોટમાં નવસારીના 5 માછીમાર હોવાનું સામે આવ્યું છે.

 

27 મી નવેમ્બરે માછીમારી કરવા આ બોટ નીકળી હતી. જેના 8 ખલાસીઓ મધદરિયે ગુમ થતાં પરિવાર શોકગ્રસ્ત બન્યો છે. તો આ સમયે દરિયામાં વાતાવારણ ખરાબ હોવાની પણ માહિતી સામે આવી હતી. તેમજ હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં પણ વરસાદ વરસ્યો હતો.

(1:35 pm IST)