Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

નર્મદા જિલ્લામાં શુક્રવારે ૬ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા: નાંદોદ તાલુકામાં વડિયામાં ૦૨ તથા ગરુડેશ્વર તાલુકામાં કેવડિયા ૦૩,શમશેરપુરા ૦૧ કેસ નોંધાયો

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા:આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શુક્રવારે ૦૬ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં નાંદોદ તાલુકામાં વડિયામાં ૦૨ તથા ગરુડેશ્વર તાલુકામાં કેવડિયા ૦૩,શમશેરપુરા ૦૧  કેસ સાથે જિલ્લામાં આજે ૦૬ પોજેટિવ કેસ નોંધાયા છે.

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં કોઈ દર્દી સારવાર હેઠળ નથી,કોવિડ કેર સેન્ટરમાં એક પણ દર્દી દાખલ નથી, જ્યારે હોમ આઇસોલેશનમાં ૦૬ દર્દી દાખલ છે. આજે વધુ ૧૦૪૬ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(10:02 am IST)