Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

રાણીપરા ગામના બસ સ્ટેન્ડ પાસે અગાઉના ઝગડાની રીશ રાખી એક શખ્શ પર હુમલામાં 3 વિરુદ્ધ ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકના રાણીપરા ગામમાં અગાઉના ઝગડા ની રિસ માર મારનાર ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર તરોપા ગામમાં રહેતા નિલેશભાઇ પ્રેમચંદભાઇ વસાવા એ આપેલી ફરિયાદ અનુસાર તેઓ પોતાની રીક્ષા છકડો લઇને રાજપીપળાથી પોતાના ગામ તરોપા જતા હતા તે વખતે ચિરાગભાઇ વસંતભાઇ ભગત,વિકેશભાઇ વસંતભાઇ ભગત અને મનિષભાઇ મણીલાલ વસાવા તમામ રહે.તરોપા એ અગાઉ થયેલા ઝગડાની રીશ રાખી નિલેશભાઈ પોતાની રીક્ષામાં બેઠેલા પેસેન્જરોને રાણીપરા ગામે બસ સ્ટેન્સ પાસે ઉતારતા હતા તે વખતે બોલાચાલી ઝગડો કરી મુઢમાર મારી ઇજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા રાજપીપળા પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:27 pm IST)