Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

''મારા'' નહિ પરંતુ ''સારા'' લોકોને ટિકીટો મળે તે સિદ્ધાંત ઉપર હું અડગ : હાર્દિક પટેલ

રાજકોટ,તા. ૮ :  આ અંગે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે અકિલાને જણાવ્યું કે ''મારા'' નહિ પરંતુ ''સારા'' લોકોને ટિકીટો મળે તે સિદ્ધાંત ઉપર હું અડગ છું.

હાર્દિક પટેલે વધુમાં જણાવ્યુ હતું કે લોકોની સેવા કરે તેવા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. અને તે સિદ્ધાંતો ઉપર કોંગ્રેસ પક્ષે ઉમેદવારોની પસંદગી કરી છે. પાટીદાર અનામત આંદોલન વખતે પણ લોકોને ન્યાય મળે તે માટે હું લડતો હતો. અને કોંગ્રેસ પક્ષના માધ્યમથી પણ સારા લોકો કોંગ્રેસમાં આવીને લોકોના કામ કરે તેવી મારી ઇચ્છા છે.

(3:26 pm IST)