Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

રાજ્યના 10 જિલ્લાઓમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી : મહાનગરોમાં કેસ ઘટ્યા

રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 97.51 ટકા થયો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 97.51 ટકા થયો છે. આજે અમદાવાદ જિલ્લામાં કોરોનાને કારણે 1 દર્દીનું મોત થયું હતું. અત્યાર સુધીમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા 4396 છે. અમદાવાદ શહેરમાં આજે 47 કેસ નોંધાયા છે. મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુને લઇને કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે. સૌથી સારા સમાચાર એવા છે કે, ગત 24 કલાક દરમિયાન ગુજરાતના 10 જિલ્લાઓ જેમાં આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, છોટા ઉદેપુર, ડાંગ, મહેસાણા, પાટણ, પોરબંદર, તાપી અને વલસાડ આમ કુલ 10 જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી

(10:02 pm IST)