Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

આણંદમાં બજારો ભીડભાડવાળી જગ્યાઓ બપોરે ચાર વાગ્યા બાદ સંપૂર્ણ બંધ રખાશે

દુકાનો ઓફિસો જીમ જેવી જગ્યાઓ 9 એપ્રિલથી 30 એપ્રિલ સુધી બંધ રહેશે

અમદાવાદ : રાજ્યના નાના નગરોમાં પણ રાત્રિ કરર્ફ્યૂના પાલન માટે સૂચનાઓ આપવામાં આવી હતી. જોકે હવે રાત્રિ કરર્ફ્યૂ ઉપરાંત બપોરના સમયમાં પણ બજારો બંધ રાખવા માટે સ્થાનિક તંત્ર નિર્ણય લેવાયો છે.

આણંદ નગરપાલિકા દ્વારા પણ આણંદ નગરના બજારો ભીડભાડવાળી જગ્યાઓ બપોરે ચાર વાગ્યાથી બીજે દિવસે છ વાગ્યા સુધી બંધ રહે એ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે. આણંદ નગરપાલિકાના પ્રમુખ રૂપલ પટેલને સાંસદ મિતેષ પટેલ  દ્વારા મળેલી સૂચના મુજબ શહેરમાં આવેલા દુકાનો ઓફિસો જીમ જેવી જગ્યાઓ આવતીકાલ તારીખ 9 એપ્રિલથી આવનાર તારીખ 30 એપ્રિલ સુધી બપોરના ચાર વાગ્યાથી જ બંધ કરવાની રહેશે. ત્યારે વધતા સંક્રમણને અટકાવવા માટે આણંદ નગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

(1:24 pm IST)