Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર કોરોના સંક્રમિત: તાત્કાલિક IAS મુકેશ પુરી અને પંકજ જોશીને વધારાનો હવાલો

આઇ.એ.એસ પંકજકુમારની રજાઓ મંજુર કરતા બે ઓફિસરો વધારાનો હવાલો સંભાળશે

અમદાવાદ :  પંકજ કુમાર, આઇ.એ.એસ., અધિક મુખ્ય સચિવ, મહેસૂલ વિભાગ (કે જેઓ અધિક મુખ્ય સચિવ, ગૃહ વિભાગ, સચિવાલય, ગાંધીનગરની જગ્યાનો પણ વધારાનો હવાલો સંભાળે છે)ની તા.૭-૪-ર૦ર૧ થી શરૂ થતી રજાઓ મંજૂર કરવામાં આવે છે. રજાનો સમયગાળો અને પ્રકાર હવે પછી અધિસૂચિત કરવામાં આવશે.

 પંકજ કુમાર, આઇ.એ.એસ.ની રજાઓ દરમિયાન મૂકેશ પુરી, આઇ.એ.એસ., અધિક મુખ્ય સચિવ (ક.ગ.), શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર તેઓની મૂળ ફરજ ઉપરાંત અધિક મુખ્ય સચિવ, મહેસૂલ વિભાગ વિભાગ, સચિવાલય, ગાંધીનગરની જગ્યાનો વધારાનો હવાલો સંભાળશે.

 પંકજ જોશી, આઇ.એ.એસ. અધિક મુખ્ય સચિવ, નાણા વિભાગ, સચિવાલય, ગાંધીનગર તેઓની મૂળ ફરજ ઉપરાંત અધિક મુખ્ય સચિવ, ગૃહ વિભાગ, સચિવાલય, ગાંધીનગરની જગ્યાનો વધારાનો હવાલો સંભાળશે.

રજા પૂરી થયેથી મુકેશ પુરી, આઇ.એ.એસ.ને અધિક મુખ્ય સચિવ, મહેસૂલ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના વધારાના હવાલામાંથી તથા પંકજ જોશી, આઇ.એ.એસ.ને અધિક મુખ્ય સચિવ, ગૃહ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના હવાલામાંથી મુક્ત કરીને પંકજ કુમાર, આઇ.એ.એસ.ને તેમની મૂળ જગ્યા ઉપર પુનઃ મૂકવામાં આવે છે અને અધિક મુખ્ય સચિવ, ગૃહ વિભાગની જગ્યાનો વધારાનો હવાલો પુનઃ સંભાળશે.

(1:56 pm IST)