Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

ફાગણ માસની વદી દ્વાદશીના પુનિત પર્વે SGVP ગુરુકુલમાં બિરાજીત શ્રી ઘનશ્યામ મહારાજને ફૂલના વાઘા ધરાવી પંચોપચાર પૂજન કરવામાં આવ્યું

અમદાવાદ તા.૭ ફાગણ માસની વદી દ્વાદશીના પુનિત પર્વે, SGVP શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં બિરાજીત શ્રી ઘનશ્યામ મહારાજને આ કાળઝાળ ગરમીમાં શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અને કુંજવિહારી સ્વામી તથા નિરંજનદાસજી સ્વામીની આગેવાની નીચે પુજારી ઋષિકેશસ્વામી, ગોહેલ મોરલીધર, પંડ્યા રમેશ અને પંડ્યા રવિ વગેરેના સહકારથી ગુરુકુલના બગીચાના ગુલાબ, મોગરો, ચંપો અને ગલગોટા વગેરે ફુલોથી વાઘા ધરાવી, શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ આરતિ ઉતારી દર્શન ખુલ્લા મૂક્યા હતા.

(2:26 pm IST)