Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

સુરતમાં કોરોના દર્દીઓને રેમડેસિવીર ઇન્જેક્શન માટે હાલાકી નહિ પડે : પરિવારના સભ્યોએ સ્મીમેર કે સિવિલ હોસ્પિટલમાં લેવા જવાની જરૂર નથી: ઇ-મેઇલના માધ્યમથી જે તે હોસ્પિટલ જ મોકલી અપાશે : કોઈએ દોડાદોડી કરવી નહી કે ગભરાવું નહિ.

સુરતમાં કોરોના દર્દીઓને રેમડેસિવીર ઇન્જેક્શન માટે હાલાકી નહિ પડે ડોકટરની સૂચના મુજબ કોઈ પણ કોરોના દર્દીને રેમડેસિવીર ઇન્જેક્શન જરૂર પડે તો પણ પરિવારના સભ્યોએ સ્મીમેર કે સિવિલ હોસ્પિટલમાં લેવા જવાની જરૂર નથી,

કલેકટરે હુકમ કરેલ છે એ મુજબ, ઇ-મેઇલના માધ્યમથી જે તે હોસ્પિટલ જ તમારી જરૂરિયાત મુજબ કલેકટરને લેખિતમાં પુરાવા સાથે મોકલી આપશે અને ઇન્જેક્શન પણ હોસ્પિટલના અધિકૃત સ્ટાફને જ રૂબરૂ મળવાપાત્ર છે જેથી કોઈએ દોડાદોડી કરવી નહી કે ગભરાવું નહિ.

કોઈ અડચણ કે કાળાબજારી કરે તો કલેકટર હેલ્પલાઇન નંબર હુકમમાં જણાવેલ છે.

(6:48 pm IST)