Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

શિવાનંદ આશ્રમનાં અધ્યક્ષ સ્વામી આધ્યાત્મનંદનું નિધનઃ કોરોનાની ચાલી રહી હતી સારવાર

અમદાવાદ, તા.૮: રાજયમાં કોરોનાનો કહેર કૂદકેને ભૂસકે વધી રહ્યો છે. ત્યારે વધુ એક દુખદ સમાચાર સામે આવી રહ્યાં છે. અમદાવાદનાં શિવાનંદ આશ્રમનાં પ્રમુખ અને ટ્રસ્ટી સ્વામી આધ્યાત્મનંદજીનું આજરોજ નિધન થયું છે. છેલ્લા ઘણાં દિવસથી તેઓ શહેરની એસ.વી.પી. હોસ્પિટલમાં કોરોના સામે જંગ લડી રહ્યાં હતાં. આજે શનિવારે બપોરે ૧૨ કલાકે તેમનું નિધન થયું છે.

(4:14 pm IST)