Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

રાજ્યમાં કોરોનાના નવા 11,892 કેસ નોંધાયા : વધુ 14,737 દર્દીઓ સ્વસ્થ થયા : વધુ 119 દર્દીઓના મોત : કુલ મૃત્યુઆંક 8273 થયો : કુલ 5,18,234 લોકોએ કોરોનાને હરાવ્યો : આજે વધુ 1,88,129 લોકોનું રસીકરણ કરાયું : સતત ચોથા દિવસે નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યા વધુ

અમદાવાદમાં 3442 કેસ, સુરતમાં 1162 કેસ, વડોદરામાં 1139 કેસ, રાજકોટમાં 686 કેસ, જામનગરમાં 646 કેસ, મહેસાણામાં 588 કેસ, જૂનાગઢમાં 505 કેસ, ભાવનગરમાં 379 કેસ, ગાંધીનગરમાં 284 કેસ, બનાસકાંઠામાં 280 કેસ, પંચમહાલમાં 231 કેસ, ગીર સોમનાથમાં 223 કેસ, કચ્છમાં 189 કેસ, દાહોદમાં 179 કેસ, આણંદમાં 176 કેસ, મહીસાગરમાં 175 કેસ, અરવલ્લીમાં 171 કેસ, પાટણમાં 155 કેસ, અમરેલીમાં 146 કેસ, ખેડા અને સાબરકાંઠામાં 139-139 કેસ, ભરૂચમાં 131 કેસ, નવસારીમાં 121 કેસ, વલસાડમાં 102 કેસ નોંધાયા : હાલમાં 1,43,421 એક્ટિવ કેસ : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે આજે રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે અને છેલ્લા કેટલાય દિવસો બાદ આજે  છેલ્લા કેટલાક દિવસથી નવા કેસની સંખ્યા ઝડપી ઉછાળો જોવાઈ રહ્યો છે , હવે રાજ્યમાં કોરોનાના નવા કેસ રેકોર્ડબ્રેક 10,000ને પાર પહોંચ્યા છે તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસની સંખ્યા 12,000ને વટાવ્યા બાદ રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો આજે રાજ્યમાં આજે રાજ્યમાં 11,892 નવા કેસ નોંધાયા છે જયારે આજે વધુ 14,737  દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી હતી તેવામાં ફરીથી નવા કેસ વધવા લાગ્યા છે સરકારે સાવચેતીના પગલાં રૂપે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો બોર્ડરે ચેકપોસ્ટ ઉભી કરીને તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ હાથ ધર્યું છે  આ ઉપરાંત રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ સ્ક્રીનિંગ વ્યવસ્થા ઉભી કરાઈ છે

મહારાષ્ટ્રથી આવતા વ્યક્તિઓ માટે કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે આ ઉપરાંત ધનવંતરી રથની સેવાઓને વધુ સુદઢ કરવામાં આવી છે અને ધન્વંતરિ રથની સંખ્યા વધારવામાં આવી છે હવે પહેલી એપ્રિલથી મહારાષ્ટ્ર સહીત દેશના અન્ય રાજ્યોમાંથી આવતા તમામ વ્યક્તિઓનું કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે નેગેટિવ રિપોર્ટ હશે તેને  જ ગુજરાતમાં પ્રવેશ આપવા નિર્ણય કરાયો છે 

  રાજ્યમાં આજે કોરોનાના નવા 11,892 કેસ નોંધાયા છે જયારે વધુ 14,737 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 5,18,234 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી  119 દર્દીઓના મોત થયા છે ,રાજ્યમાં મૃત્યુઆંક 8273  થયો છે,રાજ્યમાં રિકવરી રેટ 77,36 ટકા  થયો છે

     રાજ્યમાં હાલ 1,43,421 એક્ટિવ કેસ છે, જેમાંથી 782 લોકો વેન્ટિલેટર પર અને 1,42,639 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 5,12,234 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

 રાજ્યમાં કોરોનાની સારવાર માટે કોવીડ હોસ્પિટલોમાં વધુ 12,000થી વધુ બેડનો વધારો કરવામાં આવ્યો છે જેમાં બેડ અને વેન્ટિલેટર તેમજ આઈસીયુનો પણ સમાવેશ થાય છે

   રાજ્યમાં ગત 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણનો પ્રારંભ થયેલ છે, બીજા તબક્કામાં પણ રસીકરણ પૂર્ણ થયું છે , અત્યાર સુધીમાં કુલ 1,02,87,224 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 31,15,821 બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે આમ કુલ 1,34,03,045 રસીકરણના અપાય છે અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી

  રાજ્યમાં 18થી 44 વર્ષ સુધીના 19,276 વ્યક્તિઓને પ્રથમ ડોઝની રસીકરણ કરવામાં આવ્યું છે તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45 થી 60 વર્ષના કુલ 39,790 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 1,16,114 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે  અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને આડઅસર જોવા મળી નથી 

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 11,892 કેસમાં અમદાવાદમાં 3442 કેસ,સુરતમાં 1162 કેસ,વડોદરામાં 1139 કેસ,રાજકોટમાં 686 કેસ, જામનગરમાં 646 કેસ, મહેસાણામાં 588 કેસ,જૂનાગઢમાં 505 કેસ, ભાવનગરમાં 379 કેસ,ગાંધીનગરમાં 284 કેસ,   બનાસકાંઠામાં 280 કેસ,પંચમહાલમાં 231 કેસ,ગીર સોમનાથમાં 223 કેસ,કચ્છમાં 189 કેસ,દાહોદમાં 179 કેસ, આણંદમાં 176 કેસ, મહીસાગરમાં 175 કેસ,અરવલ્લીમાં 171 કેસ,પાટણમાં 155  કેસ, અમરેલીમાં 146 કેસ,ખેડા અને સાબરકાંઠામાં 139-139 કેસ,ભરૂચમાં 131 કેસ, નવસારીમાં 121 કેસ, વલસાડમાં 102 કેસ નોંધાયા છે

(8:13 pm IST)