Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

અમદાવાદના રાણીપમાં નિવૃત મહિલા પ્રોફેસરના ઘરને નિશાન બનાવી તસ્કરોએ 10 લાખથી વધુની મતાની ઉઠાંતરી કરી

અમદાવાદ: શહેરના રાણીપમાં રહેતા નિવૃત્ત મહિલા પ્રોફેસરના બંધ ઘરમાંથી કોઈ અજાણ્યો શખ્સ 10,46,000 રૂપિયાની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી ગયો હતો.

આ બનાવની વિગત મુજબ રાણીપમાં રિઝર્વ બેન્ક સ્ટાફ ક્વાર્ટર્સ નજીક રહેતા મીનાબેન એન પંડ્યા ઉં.વ. 64 રાજકોટ મહિલા કોલેજમાં પ્રોફેસર હતા અને 2005માં તેમણે વીઆરએસ લીધું હતું. દરમિયાન પિતાનું શ્રાદ્ધ હોવાથી મીનાબેન 4.9.2020 ના રોજ તેમની માતા સાથે તેમના ગાંધીનગરમાં રહેતા ભાઈના ઘરે ગયા હતા.

7 સપ્ટેમ્બરના રોજ તેઓ ઘરે પરત આવ્યા ત્યારે તેમણે જોયું તો ઘરની બારીની ગ્રીલ તોડેલી હતી અને દરવાજાનું તાળું તૂટેલું હતું તેમણે અંદર જઈને જોયું તો તિજોરી અને પેટી પલંગનો સામાન અસ્તવ્યસ્ત પડેલો હતો.

(5:35 pm IST)