Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

અમદાવાદ- મોડાસા નજીક બે કાર વચ્ચે થયેલ ગમખ્વાર અકસ્માતમાં 3 ઈજાગ્રસ્ત પૈકી એક યુવાને સારવાર દરમ્યાન દમ તોડ્યો

તલોદ:અમદાવાદ-મોડાસા રાજ્ય ધોરી માર્ગ ઉપરના સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના તાજપુર પંથકમાં ગતરોજ બે કારના ટકરાવથી થયેલા અકસ્માતમાં ભારે ઈજાઓનો ભોગ બનેલા ૩ પૈકી એક એવા ઈજાગ્રસ્તનું આજે સવારે સારવાર દરમ્યાન હિંમતનગર ખાતે કણસતી હાલતમાં કરૃણ મોત નિપજ્યું હતું. આમ થતાં આ જીવલેણ અકસ્માતમાં કુલ ૨ વ્યક્તિના મોત થવા પામેલ છે જે બંને પોત-પોતાની કાર ચલાવતા હતા. અકસ્માતમાં ફેકચર સહીતની ઈજાઓનો ભોગ બનેલા ૨ યુવાનો સારવાર હેઠળ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગતરોજ તા. ૬-૯-૨૦ રવિવારે સવારે ૧૧.૧૫ કલાકના સુમારે તલોદ તાલુકાના તાજપુર કેમ્પ પંથકના 'અકસ્માતઝોન' તરીકે વર્ષોથી એવા ડેગમાર તળાવ પંથકમાં બે કાર જોરદાર રીતે ટકરાતાં જીવલેણ અકસ્માત સર્જાયો હતો. 'હાઈ સ્પીડ' મનાતી બંને ગાડીઓની ટક્કરને કારણે બંને ગાડીઓ રોડ સાઈડમાં ફંગોળાઈ જઈ પડી હતી. જ્યાં બંને ગાડીઓના આગળના ભાગના ફુરચા ઉંડી ગયા હતા. આ અકસ્માતમાં અતિભારે ઈજાઓનો ભોગ બનેલા અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ભેંસાવાડા ગામના મૂળ રહીશ અને હાલ મોડાસા સ્થાયી થયેલા પ્રણય ચંદ્રકાંતભાઈ ચૌધરી (ઉ.વ. ૨૭) નામના કેયુવી ગાડીના ચાલક યુવાનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. જે હિંમતનગર સાબર ડેરીમાં ડેરી ટેકનોલોજી વિભાગમાં ફરજ બજાવતો હતો અને વૃદ્ધ શિક્ષક પિતાનું એક માત્ર સંતાન હતો.

(5:40 pm IST)