Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

આણંદમાં રેલવે પ્લેટફોર્મ નજીક તીક્ષણ હથિયારના ઘા જીકી યુવક પર હુમલો કરવામાં આવતા હાલત ગંભીર

આણંદ: શહેરના રેલ્વે સ્ટેશન પર આવેલા પરીખભુવન તરફ જવાના રસ્તા ઉપરની પાણીની ટાંકી પાસેથી આજે સવારના સુમારે એક ફેરિયો તિ-ણ હથિયારથી ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે આણંદ રેલ્વે પોલીસ દ્વારા ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. યુવાનને છાતી તેમજ પેટના ભાગે કુલ છ જેટલા ઘા મારવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મુળ યુપીનો પરંતુ હાલમાં આણંદના રેલ્વે સ્ટેશન ઉપર જ રહીને ટ્રેનોમાં ફેરી ફરીને જીવન ગુજરાન ચલાવતો સતીષ પાલ (ઉ. વ. ૨૫)આજે સવારના સુમારે રેલ્વે સ્ટેશનથી પરીખભુવન તરફ જતા આવતી પાણીની ટાંકી પાસેથી લોહીલુહાણ હાલતમા મળી આવ્યો હતો. ઘટનાની જાણ રેલ્વે પોલીસને કરવામાં આવતાં જ પોલીસની ટીમ તુરંત જ ત્યાં પહોંચી ગઈ હતી અને તપાસ કરતા તેને છાતી તેમજ પેટના ભાગે ચપ્પા જેવા તી-ણ હથિયારના છ જેટલા ઘા મારવામાં આવ્યા હતા. તેને તુરંત જ સારવાર માટે આણંદની જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં આ લખાઈ રહ્યું છે ત્યારે તેનું ઓપરેશન ચાલી રહ્યું છે. રાત્રીના સુમારે તેની ઉપર કોણે અને શા માટે હુમલો કર્યો તેને લઈને અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે.

(6:17 pm IST)