Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

સાગબારા તાલુકાના રોઝદેવ ગામની સીમમાં જીવનથી નાસીપાસ થયેલા આધેડે ફાંસો ખાઈ લેતા મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના રોઝદેવ ગામની સીમમાં એક આધેડ પુરુષે જીવનથી કંટાળી ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે.

  મળતી માહિતી મુજબ વિપુલભાઈ ધીરસિંગભાઈ વસાવા(રહે. ભડકોદરા લક્ષ્મીકૃપા પટેલ ફળીયુ, અંકલેશ્વર મુળ રહે.રોઝદેવ તા.સાગબારા)એ જાણ કર્યા મુજબ તેમના પિતા ધીરસિંગભાઈ છીડીયાભાઈ વસાવા( ઉ.વ.૫૦) ( રહે. રોઝદેવ )પોતાના ખેતરેથી ઘાસ કાપવા ગયા હતા અને પોતે જીંદગીથી નાસીપાસ થઈ પોતાની જાતે ગઈ તા.૦૪/૧૨/૨૦૨૧ નારોજ રોઝદેવ ગામની સીમમાં ગુલાબસિંગભાઈ રૂપસિંગભાઈ વસાવાના ખેતરમાં આવેલ ઝાડની ડાળી સાથે તેમના ગળે સાડી જેવા કાપડના ટૂકડાનો ગાળીયો બનાવી ગળે ફાંસો ખાઈ જઈ આપઘાત કરી લીધો હોય સાગબારા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.

(10:09 pm IST)