Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

મહેમદાવાદ તાલુકામાં પત્ની પર ચેરિટી અંગે શંકા કરી હત્યા કરનાર પતિને અદાલતે આજીવન કેદની સુનવણી કરી

નડિયાદ : મહેમદાવાદ તાલુકામાં આજથી સવા વર્ષ અગાઉ એક વોચમેન પતિએ પત્નીને આડા સંબંધો હોવાનો વહેમ રાખી મધ્યરાત્રીએ હત્યા કરી દીધી હતી. આ બનાવનો કેસ આજે નડિયાદ સેશન્સ કોર્ટમાં ચાલી જતા પતિને આજીવન કેદની સજા અને દંડનો હૂકમ કર્યો છે. પ્રવિણભાઇને તેમના પત્ની રેખાબેનના ચારીત્ર્ય પર શંકા હતી. તેમને રેખાબેનને અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધ હોવાનો વહેમ હતો. ગત્ ૨૭ ઓગષ્ટ, ૨૦૨૦ના રોજે રેખાબેન હરિકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ ઓરડીની બહાર ખાટલામાં સૂતા હતા. તે સમયે રાતના ૧૨.૨૦ વાગ્યાના અરસામાં પ્રવિણભાઇ રેખાબેન પાસે આવેલ અને હાથમાં રહેલ કોદાળી વડે રેખાબેનના માથાના ભાગે ઉપરા છાપરી ઘા કરી કરપીણ હત્યા કરી દીધી હતી. આ બનાવ ઇન્ડસ્ટ્રીઝમાં લગાવેલ સીસી ટીવી કેમેરામાં કેદ થઇ ગયો હતો. જો કે હત્યા બાદ પ્રવિણભાઇએ તરત જ કંપનીના માલિક ડાહ્યાભાઇને ફોન કરી ગુનાની કબૂલાત કરી હતી. આથી ડાહ્યાભાઇ તરત જ પોલીસને લઇને કંપનીમાં પહોંચ્યા હતા. જ્યાં પોલીસે પ્રવિણભાઇની અટકાયત કરી તેમના વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.

(5:26 pm IST)