Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

રાજ્યમાં કોરોના હાર્યો :નવા 5 કેસ નોંધાયા:વધુ 3 દર્દીઓ સાજા થયા:આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી:મૃત્યુઆંક 11.043 થયો :કુલ 12.66.257 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે 3587 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ મહાનગરોમાં નોંધાયા:રાજયમાં હાલમાં 184 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 5 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 3 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12,66,257 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,043  થયો છે ,રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.12 છે

  રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા રાજયમાં વધુ 3567 લોકોનું રસીકરણ કરાયું છે.આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12,76.94.844 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે

 રાજ્યમાં હાલ 186 એક્ટિવ કેસ છે.જેમાંથી એકપણ દર્દી વેન્ટિલેટર પર નથી, જયારે 186 દર્દીઓ  સ્ટેબલ છે.  .

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 5 કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 3 કેસ, અને વડોદરા કોર્પોરેશનમાં 2 કેસ નોંધાયા છે

 

(7:45 pm IST)