Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

ધાર આશ્રમથી પુજય ભોળયા સંત શ્રી કાનદાસ બાપુ દેવલોક થયા

ગુરુની વિદાય : આવા ભોળયા સંતનુ નામ ઈતિહાસના પન્નામાં લખાશે : પુજય કાનદાસબાપુનુ નામ સુવણઁ અક્ષરે લખાશે

પૂજય ભોળિયા કાનદાસબાપુ બાપુને સ્વધામ સિધાવ્યા છે  આ પવિત શુક્રવારના દિવસે  જ્યારે રામદેવપીર સાથે લિન થઈ જવાનું નક્કી કર્યું હશે ત્યારે જ ખબર પડી જાય કે આ સંત વિભૂતિ ઓલિયા પુરુષ હશે. બાપુની વિરહનું દુઃખ વધુ ગાવલડીને હશે સાથે સાથે અનેક ભાવિકોને પણ હશે બાપુનો તો સ્વભાવ જ એવો હતો કોઈ દુખિયા આવે કોઈ ભૂખીયા આવે બધાને એકજ આદર આવો બાપા જમો બાપા ઉતારા કરો હજુ પણ તેમનો નાદ કાને અથડાય છે જગત કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કરનાર અને કોઈ અભિમાન નહિ સરળ સ્વભાવ કોઈ ઉચ્ચ નીચ નહિ આવા અનેક સદગુણો પૂજય કાનદાસ બાપુની ઓળખ હતી બાપુની..

 આ વિદાયના પ્રસંગે નિમિત્તે તેમના આશીર્વાદ બધા ઉપર વહેતા રહે તેવી પરમાત્મા રામદેવપીરને પ્રાર્થના..

   ॥ જ્યોતુ જપાટા કરે, પરચાનો નહિ પાર અમીના આંસુ ઝરે માનવીને મુશળધાર ॥ અઢારે આલમ જ્યાં નમતું તે ધાર આશ્રમ જય રામદેવપીર  જય કાનદાસ બાપુ...

(10:49 pm IST)