Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

મલાવ ગામે ખેતરમાં મૂકેલા સામાનને અજાણ્યા વ્યક્તિએ સળગાવી ૧૯,૫૦૦નું નુકશાન કરતા ફરિયાદ નોંધાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના મલાવ ગામમાં આવેલા ખેતરમાં મૂકેલા સામાનને કોઈ અજાણ્યા વ્યક્તિએ સળગાવી નુકશાન કરતા પોલીસે ગુનો દાખલ કર્યો છે
પ્રાપ્ત માહિતી અનુસાર સંજયભાઇ કાનજીભાઇ વસાવા( રહે.મલાવ તા.નાંદોદ જી.નર્મદા) ની ફરિયાદ મુજબ તેમના ખાતા નં.૨૪૫ સર્વે નંબર ૧૨૦ વાળા ખેતરના શેઢા ઉપર મુકેલ તુવેરની કરાઠી તથા સુકા લાકડા તથા ત્રણ વર્ષ જુની ડ્રીપ પાઇપો બંડલ નં.૪ આશરે ૧૨૦૦ મીટર એક બંડલની કિમત ૪૫૦૦  લેખે ૧૮૦૦૦ ને સળગાવી તથા બોર સાથેનો પાંચ ફૂટનો પી.વી.સી. પાઇપ કિ.રૂ ૭૦૦  તોડી નાખી તથા ડ્રીપના વાલ્વની ચાવી તોડી કિ.રૂ.૮૦૦  મળી કુલ રૂ.૧૯,૫૦૦ જેટલાનું નુકશાન કરી ગુનો કરતા આમલેથા પોલીસે અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

(10:48 pm IST)