Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

IAS કે.સી. સંપતને સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર બનાવાયા : પી.એન. મકવાણાની પણ બદલી

અમદાવાદ :  રાજ્યમાં થોડા સમય અગાઉ IAS અધિકારીઓની બદલી કરાઈ હતી. જેમાં કે.સી. સંપત સુરેન્દ્રનગરના DDO બનાવાયા હતા. તેમને કલેક્ટરનો  વધારાનો ચાર્જ પણ સોંપાયો હતો.

કે.સી. સંપત, IAS (SCS: GUJ: 2012), જીલ્લા વિકાસ અધિકારી, સુરેન્દ્રનગર (જેની પાસે કલેક્ટર પદનો વધારાનો હવાલો પણ છે)ની જિલ્લા વિકાસ અધિકારીના પદ પરથી બદલી કરાઈ છે. સુરેન્દ્રનગર અને કલેક્ટર, સુરેન્દ્રનગર તરીકે પૂર્ણાહુતિ નિયુક્ત કરાયા છે

પી.એન. મકવાણા, IAS (SCS: GUJ: 2013), સંયુક્ત સચિવ(ULC-અર્બન લેન્ડ સેઇલલિંગ), મહેસૂલ વિભાગ, સચિવાલય, ગાંધીનગરની બદલી કરી જિલ્લા વિકાસ અધિકારી સુરેન્દ્રનગર વાઇસ તરીકે નિમણૂક કરવામાં આવી છે

(11:04 pm IST)