Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે કોમી એકતાના દર્શન :હિંદુ-મુસ્લિમોએ સાથે આવી બ્લડ ડોનેટ કર્યું

જગન્નાથજીની રથયાત્રા પહેલા જમાલપુર મંદિરમાં રક્તદાન કેમ્પ યોજાયો:બંને કોમના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો

અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે કોમી એકતાના દર્શન થયા હતા, જગન્નાથજીની રથયાત્રા પહેલા જમાલપુર મંદિરમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમા બંને કોમના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા જમાલપુર મંદિરમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો,  કોમી એકતાના પ્રતીક રૂપે આ કેમ્પનું આયોજન કરાયું હતું , જે અંતર્ગત મુસ્લિમ લોકોએ પણ મંદિરમાં જ રક્તદાન કરી કોમી એકતાનો સંદેશો પ્રસરાવ્યો હતો ,મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓએ પણ રક્તદાન કર્યું હતું રક્તદાન કરનારા લોકોને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરના 300થી વધુ પોલીસકર્મીઓ પણ રક્તદાન કરશે. રક્તદાન કેમ્પ અંતર્ગત 900થી વધુ રક્તની બોટલ એકત્રિત કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

(12:34 am IST)