Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

વડાપ્રધાનᅠનરેન્‍દ્રભાઈ મોદી દ્વારા ખરીફ ૨૦૨૨-૨૩ લઘુતમ ટેકાના ભાવનો વધારો જાહેર કરવાના નિર્ણયને આવકારતા રાઘવજીભાઈ પટેલ

ગુજરાતના ખેડૂતોને ટેકાના ભાવ મંજુર કરવા માટે વડાપ્રધાન દ્વારા લઘુતમ ટેકાના ભાવો મંજુર કરવા બદલ રાજયના ખેડૂતો વતી કૃષિમંત્રીએ વડાપ્રાધાનᅠ તથા ભારત સરકારનો આભાર વ્‍યકત કર્યો

રાજકોટ - જામનગર તા. ૯ : કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્‍યુ છે, કે ગુજરાતના ખેડુતો દ્વારા ખરીફ ઋતુ ૨૦૨૨-૨૩ ના મુખ્‍ય ૧૪ પાકોની ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવે છે તેના ભાવો માટે ખેડૂતો દ્‍બારા વારંવાર ગુજરાત સરકાર તથા ભારત સરકારમાં પોતાની લાગણીઓ વ્‍યક્‍ત કરતા હતા જેના ભાગ રૂપે ગુજરાતના પનોતા પુત્ર તથા દેશનાᅠ વડાપ્રધાનᅠ નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ના ખરીફ પાકના ટેકાના ભાવ ખરીફ ઋતુની શરૂઆત પહેલા સમયસર જાહેર કરવામાં આવ્‍યા છે.ᅠ

રાજયના ખેડૂતોની આવક બમણી કરવા માટે ભારત સરકાર દ્વારા ટેકાના ભાવમાં કરવામાં આવેલ વધારો અને તેની સમયસર જાહેરાત કરવા માટે રાજયના કૃષિ મંત્રીᅠરાઘવજીભાઈ પટેલે ભારતના પ્રધાનમંત્રીᅠ નરેન્‍દ્રભાઈ મોદી નો રાજયના ખેડૂતો વતી આભાર વ્‍યકત કર્યો છે.

મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, ખરીફના ૧૪ પાકોમાં ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોના હિતમાં લઘુતમ વધારો કરવામાં આવ્‍યો છે. જેમાં પાક ઉછેરાનારાઓને તેમજ ઉપજ પર વળતરક્ષમ ભાવો મળે તેની ખાતરી કરી શકાય અને પાકના વાવેતરને સુનિશ્ચિત કરવામાં માટે ટેકાના ભાવ જે તે પાકના ખેતી ખર્ચના ઓછામાં ઓછા ૫૦ ટકા થીᅠ ૮૫ ટકા સુધીનો નફો મળે તે પ્રમાણે નક્કી કરવામાં આવ્‍યા છે.ᅠ

રાજયના ખેડૂતોની આવક બમણી થાય તે માટે જુદાજુદા પાકમાં ગત વર્ષ કરતાᅠ પ્રતિ ક્‍વિન્‍ટલ રૂપિયા ૯૨થી ૫૨૩ સુધીનો વધારો કરવામાં આવેલ છે.

મંત્રી શ્રી એ ઉમેર્યુ કે, રાજયના મુખ્‍ય પાક મગફળીમાં પ્રતિ ક્‍વિન્‍ટલ રૂપિયા ૩૦૦નો વધારો કરી ટેકાનો ભાવᅠ રૂપિયા ૫૮૫૦, તુવેર પાકમાં રૂપિયા ૩૦૦નો વધારો કરી ટેકાનો ભાવ રૂપિયા ૬૬૦૦, મગ પાકમાં રૂપિયા ૪૮૦ નો વધારો કરી ટેકાનો ભાવ ૭૭૫૫, તલ પાકમાં રૂપિયા ૫૨૩ નો વધારો કરી ટેકાનો ભાવ રૂપિયા ૭૮૩૦, અડદ પાક મા રૂપિયા ૩૦૦ નો વધારો કરી ટેકાનો ભાવ રૂપિયા ૬૬૦૦, કપાસ પાકમાં રૂપિયા ૩૫૫નો વધારો કરી રૂપિયા ૬૩૮૦ ટેકના ભાવ જાહેર કરેલ છે તેમ તેમણે ઉમેર્યુ છે.

(10:20 am IST)