Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

બે વર્ષ પહેલા સગીર કન્યાનું અપહરણ કરી ગોંધી રાખનાર નરાધમને દાહોદથી પોલીસે ઝડપી સગીરાને છોડાવી

વડોદરા: બે વર્ષ પહેલાં સગીર કન્યાનું અપહરણ કરનાર આરોપીને દાહોદ ખાતેથી ઝડપી લઇ સગીરાને છોડવામાં આવી છે. સયાજીગંજ વિસ્તારમાં અરવિંદ કાળુભાઈ માથાસુરીયા (રહે.દાહોદ તેમજ આણંદ રેલવે સ્ટેશન નજીક) સગીર વયની કન્યાનું અપહરણ કરતા તેની સામે વર્ષ 2020માં ગુનો નોંધાયો હતો. સગીર આની સાથે આરોપી દાહોદ રેલવે સ્ટેશન નજીક રહેતો હોવાની વિગતો ને પગલે સયાજીગંજ પોલીસે વોચ રાખી આરોપીને ઝડપી પાડી સગીરાને છોડાવવામાં આવી છે. સગીરાનું અપહરણ કર્યા બાદ તેની સાથે દુષ્કર્મ પણ આચરવામાં આવ્યું હોવાની વિગતો બહાર આવતા પોલીસે બળાત્કારની કલમ ઉમેરો કર્યો છે.

(6:18 pm IST)