Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

દાહોદ જીલ્લાના આદિવાસી સમુદાયમાં ઘડીયાળના કાંટા ઉંધા ફરતા હોવા પાછળ પ્રકૃતી પણ ઍન્ટી કલોકવાઇઝ કામક રતી હોવાની માન્યતા

આદિવાસી સમાજમાં લગન્ પ્રસંગે ફેરા પણ ઍન્ટી કલોકવાઇઝ દિશામાં ફેરવવાની પ્રથા

અમદાવાદ, તા., ૯: ગુજરાતના દાહોદ જિલ્લાના આદિવાસી સમાજમાં ઘડીયાળના કાંટા ઉંધા ફરતા જાવા મળે છે. તેની પાછળની ખેવી માન્યતા છે કે પ્રકૃતી, સુર્ય પાણીમાં ઉદભવતા વમળ વગેરે ઍન્ટી કલોકવાઇઝ કામ કરે છે.

પ્રકૃતી સાથે સંકળાયેલો આ સમાજ લગન્ પ્રસંગે પણ ફેરા ઉંધા ફેરવે છે તેવી પરંપરા વર્ષોથી ચાલે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતની આદિવાસી પ્રજાતીના લોકો વર્ષોથી ઊંધી ઘડિયાળ વાપરી રહ્યા છે. તો ચાલો આજે જાણીએ આ ઉંધી ઘડિયાળની રસપ્રદ કહાની. આદિવાસી પ્રજાતીની વિશે હંમેશા રસપ્રદ રીવાજો, પ્રથા સાંભળવા મળતા હોય છે. દરેક પ્રજાતીની પોતાની માન્યતા, રીત રીવાજો હોય છે જે એકબીજાથી તદ્દન અલગ હોય છે. પરંતુ બધી આદિવાસી પ્રજાતીમાં એક સામ્યતા જોવા મળે છે કે તે પ્રકૃતિ સાથે સંકળાયેલા હોય છે. અને આ પ્રકૃતિએ જ આપ્યો ઊંધી ઘડિયાળનો વિચાર. ગુજરારાતના દાહોદ જિલ્લામાં આ પ્રકારની ઉંઘી ઘડિયાળનું ચલણ ખુબ જ વધી ગયું છે. અહીંના દરેકમાં ગામમાં ઘરે ઘરે તમને આ પ્રકારની ઘડિયાળ દિવાલ પર જોવા મળશે. ખાસ કરીને આદિવાસી સમુદાયમાં આ ઘડિયાળ તેમની સંસ્કૃતિનું પ્રતિક છે. આદિવાસી સમાજના નૃત્ય, તેમની પરંપરાઓ, તેમની રહેણી-કરણી અને તેમની રિત-રિવાજો અન્ય સમાજો કરતા અલગ અને અનોખા છે. એજ રીતે આ એન્ટી ક્લોક પણ આદિવાસી સમાજનું અનોખું પ્રતિક છે. જેને હવે અન્ય લોકો પણ અપનાવી રહ્યાં છે.

 

ઊંધી ઘડિયાળને શા માટે આદિવાસીઓ માને છે શુભઃ
ગુજરાતના દાહોદ જિલ્લામાં વસતી આદિવાસી જાતીના અમુક લોકોએ બનાવી આ ઉંધી ઘડિયાળ. તેમનું માનવું છે કે પ્રકૃતિ એન્ટી ક્લોકવાઈઝ કામ કરે છે. સૂર્ય એન્ટી ક્લોકવાઈઝ ઉગે અને આથમે છે. પાણીમાં ઉ્દ્ભવતા ભ્રમર એન્ટી ક્લોકવાઈઝ ભ્રમણ કરે છે. પૃથ્વી પણ એન્ટી ક્લોકવાઈઝ ભ્રમણ કરે છે.અને આ જ નિયમ પ્રમાણે તેમની સંસ્કૃતિ પણ કામ કરે છે. આદિવાસી સમાજના લગ્ન પ્રસંગે ફેરા પણ એન્ટી ક્લોકવાઈઝ દિશામાં જ ફેરવવામાં આવે છે.આ ઉપરાંત મરણ પછીની અંતિમક્રિયાની વિધીમાં પણ એન્ટી ક્લોકવાઈઝ દિશા જ ધ્યાનમાં રખાય છે.

 

શું છે ઊંઘી ઘડિયાળ બનાવવાનું કારણ?
"આદિવાસી સમાજને તેની સંસ્કૃતિ સાથે જોડી રાખવાના વિચારથી જ આ ઘડિયાળ બનાવવામાં આવી છે. તેમનું માનવું છે કે આ ઘડિયાળ જોઈને લોકોને સતત ધ્યાન રહેશે કે તેમની સાચી સંસ્કૃતિ શું છે. અને આ સંસ્કૃતિ લુપ્ત ના થાય તે માટે આ ઘડિયાળનું ઉત્પાદન શરૂ કરાયું. આજથી 5 વર્ષ પહેલા આ સમાજના અમુક આગેવાનો એ આ ઘડિયાળ બનાવવાની શરૂઆત કરી હતી ત્યારથી અત્યાર સુધી અંદાજીત 1.5 લાખથી પણ વધુ ઘડિયાળ વેચાઈ ચૂકી છે" : રાજેશ ભાભોર, આદિવાસી સમાજ આગેવાન.

 

એન્ટી ક્લોકથી બદલાશે આપણો સમય!
આ ઘડિયાળ વિવિધ મટીરીયલ જેમકે લાકડું, સનમાઈકા ,પ્લાસ્ટિક વગેરેમાં બનાવવામાં આવે છે. આદિવાસી સમાજનું પ્રતીક માનવામાં આવે છે આ ઉંઘી ઘડિયાળો. આદિવાસી સમાજનું માનવું છેકે, આ પ્રકારની ઘડિયાળો અપનાવવાથી આપણો સમય સારો રહે છે. આપણું હંમશા મંગળ કરે છે આ એન્ટી ક્લોક.

અન્ય રાજ્યોમાં પણ પ્રચલિત બની રહી છે ઊંઘી ઘડિયાળઃ
માત્ર ગુજરાત જ નહીં પણ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, અને ઝારાંડના આદિવાસી સમુદાયોમાં ઉલ્ટી ઘડિયાળ એક જનઆંદોલન બની ચુકી છે. આ ઘડિયાળની ખરી શરૂઆત ક્યાંથી થઈ તે કહેવું તો મુશ્કેલ છે. પણ ગુજરાતના દાહોદમાં આ ઘડિયાળની બોલબાલા સૌથી વધારે છે.

 

એકદમ સામાન્ય ભાવમાં મળે છે ઘડિયાળઃ
એકદમ સામાન્ય ભાવ (અંદાજીત 250-300 RS.)માં મળતી આ ઘડિયાળએ હાલતો લોકોનું આકર્ષણ કેન્દ્રિત કર્યું છે. વધુ લોકો સુધી આ સંસ્કૃતિ પહોંચે તે માટે આમાં ઘડિયાળમાં મધમાખીની કામગીરી, બિરસા મુંડા, ભરવાડી ચીત્રકલા, આદિવાસી ઢોલની કલાકૃતિ બનાવવામાં આવી છે.

અન્ય સમાજ કરતા અનોખી છે આદિવાસીઓની સંસ્કૃતિઃ
આદિવાસી સમાજ માટે સંસ્કૃતિની યાદગીરી અને અન્ય સમાજ માટે ડેકોરેટીવ ઘડિયાળે હાલ તો લોકોના મનમાં અને ચર્ચામાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. આ ઘડિયાળ જેટલી આદિવાસી સમાજ માટે સંસ્કૃતિનો ભાગ છે તેથી વધુ બીજા સમાજના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ઘર સુશોભન માટે કે યાદગીરી તરીકે રાખવા માટે મોટી સંખ્યામાં લોકો આ અનોખી ઘડિયાળ તરફ આકર્ષિત થયા છે.

(5:37 pm IST)