Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

અમદાવાદના એલીસબ્રિજના મહાલક્ષ્‍‍મી મંદિરના મહંત સહીત 10 લોકોને કોરોના: મંદિર ફરી કન્ટેઈનમેન્ટ કરાયું

મંદિરના 80 વર્ષના મહંત સહીત 3 જણાને હોસ્પીટલમાં દાખલ : અન્ય તમામને હોમ આઇસોલેશન કરાયા

અમદાવાદમાં એલીસબ્રીજ ખાતે આવેલા મહાલક્ષ્‍મી મંદિરના મહંત સહીત, 10 જણાને કોરોના પોઝીટીવ આવતા ફરી એક વખત મંદિરને કન્ટેઈનમેન્ટ કરી દેવાયુ છે. મંદિરના 80 વર્ષના મહંત સહીત 3 જણાને હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.બાકીના બધાને હોમ આઈસોલેશનમાં મૂકી દેવામાં આવ્યા છે.

જાણવા મળે છે કે, મહાલક્ષ્‍મી મંદિરને મેં મહિનામાં પણ કન્ટેઈનમેન્ટ કરી દેવાયુ હતુ. અને હવે ફરી વાર કરવામાં આવ્યુ છે. ગુજરાત હાઈકોર્ટ 14 સપ્ટેમ્બરથી જાહેર જનતા માટે ફિઝીકલી ખુલ્લી મુકવાની પરવાનગી આપી હતી પરંતુ હાઈકોર્ટ સ્ટાફના 8 થી વધુ કર્મચારી કોરોના પોઝીટીવ આવતા ગુજરાત હાઈકોર્ટને, માઇક્રો કન્ટેઈનમેન્ટમાં મૂકી દેવામાં આવ્યુ છે.

(2:15 pm IST)