Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

રાજપીપળામાં ૬ સહિત નર્મદા જિલ્લામાં ૮ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા

રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે જિલ્લામાં બુધવારે નવા ૦૮ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે
આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ.કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં બુધવારે ૦૮ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળા માં અંબિકા નગર સોસા. ૦૨, નવાપરા ૦૧ ગુજ. હાઉસિંગ બોર્ડ ૦૧, રાજવંત પેલેસ ૦૧, નવા ફળિયા ૦૧ તિલકવાળા ૦૧ અને ડેડીયાપાડા ના અણદુ ૦૧ સાથે નર્મદા જિલ્લામાં કુલ ૦૮ દર્દી પોઝિટિવ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૩૫ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૨૨ દર્દી દાખલ છે જ્યારે આજે ૧૧ દર્દી સાજા થતા રજા અપાઈ છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૭૦૧ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક ૭૬૨ પર પહોચ્યો છે.આજે વધુ ૩૯૦ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(7:45 pm IST)