Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે નવા રેકોર્ડબ્રેક 1329 પોઝિટિવ કેસ સામે 1336 દર્દીઓ સ્વસ્થ થયા :વધુ 16 લોકોના મોત સાથે મૃત્યુઆંક 3152 થયો : કુલ કેસની સંખ્યા 1,08,295 થઇ : 88,815 લોકોએ કોરોનાને હરાવ્યો

સુરતમાં સૌથી વધુ 266 કેસ, અમદાવાદમાં 171 કેસ, રાજકોટમાં 154 કેસ, વડોદરામાં 126 કેસ, જામનગરમાં 113 કેસ ભાવનગરમાં 46 કેસ, મોરબીમાં 30 કેસ,અમરેલી અને પંચમહાલમાં 29- 29 કેસ નોંધાયા: રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકડામાં તફાવત યથાવત : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોના કહેર વચ્ચે સ્વસ્થ થનારની સંખ્યામાં નોંધપાત્ર સુધારો થયો છે આજે નવા કેસમાં રેકોર્ડબ્રેક ઉછાળો આવ્યો છે  આજે વધુ 1329 પોઝિટિવ કેસ નોંધાયા છે તેની સામે 1336 દર્દીઓ સ્વસ્થ થયા છે આજે વધુ 16 લોકોના મોત સાથે મૃત્યુઆંક 3152 થયો છે આજે નોંધાયેલ 1329 પોઝિટિવ કેસ સાથે કુલ કેસની સંખ્યા 1,08,295 થઇ છે જયારે કુલ 88,815 લોકોએ કોરોનાને હરાવ્યો છે.

અલબત્ત રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકળાઓમાં તફાવત યથાવરહયો છે આજે પણ સ્થાનિક તંત્રના આંકડા અને રાજ્ય સરકારના આંકડા વચ્ચે ટાફટ જોવા મળ્યો છે.

 રાજ્યમાં હાલમાં 16328 એક્ટિવ કેસ છે જેમાંથી 16234 સ્ટેબલ છે જયારે 94 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.

રાજ્યમાં આજે નોંધાયેલ 1329 પોઝિટિવ કેસમાં સુરતમાં સૌથી વધુ 266 કેસ, અમદાવાદમાં 171 કેસ, રાજકોટમાં 154 કેસ, વડોદરામાં 126 કેસ, જામનગરમાં 113 કેસ ભાવનગરમાં 46 કેસ, મોરબીમાં 30 કેસ,અમરેલી અને પંચમહાલમાં 29- 29 કેસ, નોંધાયા છે.

(12:08 am IST)