Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

વડોદરાની વાઘોડિયા ચોકડી નજીક લકઝરી બસ-ટેન્કર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 30 મુસાફરોનો આબાદ બચાવ

વડોદરા: શહેરની વાઘોડિયા રોડ ચોકડી પર ગઈ મધરાતે પસાર થતી લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત થતા 30 મુસાફરોનો બચાવ થયો હતો.પોરબંદર તરફ જતી અરિહંત ટ્રાવેલ્સની લક્ઝરી બસ વડોદરા પાસે પસાર થતી હતી તે દરમિયાન વાઘોડિયા ચોકડી પાસે પાછળ આવી રહેલી ખાલી ટેન્કર ધડાકાભેર ઘુસી જતા બસમાં બેઠેલા મુસાફરોને ઓછી-વત્તી ઇજા થઇ હતી.અકસ્માતને કારણે બસનો પાછળનો ભાગ તૂટી ગયો હતો જ્યારે ટેન્કરનો ડ્રાઇવર ફસાઈ ગયો હતો. વડોદરા ફાયરબ્રિગેડની મદદ લેવાતા ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો હતો જ્યારે ઇજાગ્રસ્ત એક મુસાફરને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.અકસ્માતને કારણે એકથી દોઢ કલાક સુધી વાહનચાલકોને મુશ્કેલી પડી હતી અને ટ્રાફિક પણ જામ થઈ ગયો હતો.

 

(6:20 pm IST)