Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

કોરોના બેકાબુ બન્યો :અમદાવાદમાં 1923 અને સુરતમાં 1892 કેસ સહીત રાજ્યમાં રેકોર્ડબ્રેક 6097 પોઝીટીવ કેસ નોંધાયા:વધુ 1539 દર્દીઓ સાજા થયા :રાજકોટ અને સુરતમાં એક-એક દર્દીનું મૃત્યુ : કુલ મૃત્યુઆંક 10.130 થયો :કુલ 8.25.702 લોકોએ કોરોનાને હરાવ્યો:આજે વધુ 3.82.777 લોકોનું રસીકરણ કરાયું

અમદાવાદમાં 1923 કેસ,સુરતમાં 1892 કેસ,વડોદરામાં 470 કેસ,રાજકોટમાં 249 કેસ, ગાંધીનગરમાં 195 કેસ, ખેડામાં 126 કેસ, મહેસાણામાં 111 કેસ, કચ્છમાં 109 કેસ, ભાવનગરમાં 108 કેસ, આણંદમાં 88 કેસ, ભરૂચમાં 78 કેસ, જામનગરમાં 58 કેસ, મોરબીમાં 51 કેસ,જૂનાગઢમાં 44 કેસ, ગીર સોમનાથમાં 27 કેસ, પંચમહાલમાં 25 કેસ,દાહોદમાં 24 કેસ,અમરેલીમાં 23 કેસ,અરવલ્લીમાં 21 કેસ,સુરેન્દ્રનગરમાં 19 કેસ, બનાસકાંઠામાં 18 કેસ, પાટણમાં 17 કેસ, મહીસાગરમાં 15 કેસ, તાપીમાં 13 કેસ, નર્મદામાં 11 કેસ, દેવભૂમિ દ્વારકા અને સાબરકાંઠામાં 10-10 કેસ, છોટાઉદેપુરમાં 3 કેસ, બોટાદમાં 1 કેસ નોંધાયો : હાલમાં 32.469 એક્ટીવ કેસ: શહેર જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ હતી ત્યારે છેલ્લા ઘણા મહિના બાદ કોરોના કેસમાં મોટો ઉછાળો નોંધાયો છે, આજે નવા 6097 પોઝીટીવ કેસ નોંધાયા છે આજે વધુ 1539 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે ત્યારે રાજ્યમાં દિવાળી બાદ કોરોના કેસમાં વધઘટ જોવા મળે છે ત્યારે છેલ્લા કેટલી દિવસોથી નવા કેસમાં જબરો વધારો થઇ રહ્યો છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 6097 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 1539 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.25.702 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં કોરોનાથી રાજકોટ અને સુરતમાં એક-એક  દર્દીનું મૃત્યુ થયું છે, રાજયમાં કુલ મૃત્યુઆંક 10.130 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 95.09 ટકા થયો છે 

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 3.82.777 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 9.35.01.594 રસીકરણ  સંપન્ન થયું છે

  રાજ્યમાં હાલ 32.469 એક્ટિવ કેસ છે, જેમાંથી 29 લોકો વેન્ટિલેટર પર અને 32.440 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,25.702  ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે  આજે રાજ્યમાં કોરોનાથી રાજકોટ અને સુરતથી એક-એક દર્દીનું મૃત્યુ થયું છે,રાજયમાં કુલ મૃત્યુઆંક 10.130 થયો છે

 રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 6097 કેસમાં અમદાવાદમાં 1923 કેસ,સુરતમાં 1892 કેસ,વડોદરામાં 470 કેસ,રાજકોટમાં 249 કેસ, ગાંધીનગરમાં 195 કેસ, ખેડામાં 126 કેસ, મહેસાણામાં 111 કેસ, કચ્છમાં 109 કેસ, ભાવનગરમાં 108 કેસ, આણંદમાં  88 કેસ, ભરૂચમાં 78 કેસ, જામનગરમાં 58 કેસ, મોરબીમાં 51 કેસ,જૂનાગઢમાં 44 કેસ, ગીર સોમનાથમાં 27 કેસ, પંચમહાલમાં 25 કેસ,દાહોદમાં 24 કેસ,અમરેલીમાં 23 કેસ,અરવલ્લીમાં 21 કેસ,સુરેન્દ્રનગરમાં 19 કેસ, બનાસકાંઠામાં 18 કેસ, પાટણમાં 17 કેસ, મહીસાગરમાં 15 કેસ, તાપીમાં 13 કેસ, નર્મદામાં 11 કેસ, દેવભૂમિ દ્વારકા અને સાબરકાંઠામાં 10-10 કેસ, છોટાઉદેપુરમાં 3 કેસ, બોટાદમાં 1 કેસ નોંધાયો છે

 

(8:03 pm IST)