Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

ટિકિટ કેમ ના આપી ? : અમદાવાદમાં કોંગ્રેસના નિરીક્ષક પ્રફુલ શાહ કાર્યકરોનો લાકડીથી હુમલો

સાબરમતી વિસ્તારમાં આવેલ પંચશીલ હોસ્પિટલ બહાર હુમલો : ઘટના બાદ પોલીસ દોડી :ઈજાગ્રસ્ત પ્રફુલ શાહની સારવાર કરાવી હતી

અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં આવેલ પંચશીલ હોસ્પિટલ બહાર જ કોંગ્રેસના નિરીક્ષક પ્રફુલ્લ શાહ પર જીવલેણ હુમલો થયો છે. જેમાં હુમલો કરનારા કોંગ્રેસના જ કાર્યકર્તાઓ હતા. તેમણે નિરીક્ષક પ્રફુલ્લ શાહને લાકડી વડે માર મારી કહ્યું કે ટિકિટ કેમ ના આપી. આમ કહીને કોંગ્રેસના ત્રણ કાર્યકરોએ ભેગા મળી ઢોર માર માર્યો હતો. આ સમગ્ર ઘટના બાદ પોલીસ દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત પ્રફુલ શાહની સારવાર કરાવી હતી.

(12:49 am IST)