Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

સુરતમાં તમામ સ્મશાન ગૃહો ફૂલ થતા અંતિમક્રિયા માટે પરિવારજનો દ્વારા ગ્રામ વિસ્તારમાં પ્રયાણ !!

ગ્રામ્ય વિસ્તારના સ્મશાન ગૃહમાં પણ ૨ થી ૪ કલાક સુધીનું વેઈટિંગ

સુરત જીલ્લામાં કોરોના બેકાબુ બન્યો છે. સુરત શહેરના તમામ સ્મશાન ગૃહ ફૂલ થતા હવે અંતિમ ક્રિયા માટે સ્વજનો મૃતદેહો લઇ ગ્રામ્ય વિસ્તાર તરફ પ્રયાણ કરી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારના સ્મશાન ગૃહમાં પણ ૨ થી ૪ કલાક સુધી નું વેટીંગ ચાલી રહ્યું છે.

સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાની સ્થિતિ બેકાબુ થઇ રહી છે ,ગત વર્ષની સરખામણીમાં આ વખતે મૃત્ય દર માં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે ,જેને કારણે સુરત શહેરના તમામ સ્મશાન ગૃહ હાલ ફૂલ થઇ ગયા છે જેને કારણે હવે સુરત શહેરના મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે ગ્રામીણ વિસ્તાર તરફ મોકલવામાં આવી રહ્યા છે પરંતુ મૃતદેહોનો ભરવો એટલો છે કે ગ્રામીણ વિસ્તારના સ્મશાનગૃહોમાં પણ ૩ થી ચાર કલાક જેટલો વેટીંગ સમય લાગી રહ્યો છે સુરત ના બારડોલી ,કડોદરા અને ખોલવડ સ્મશાનગૃહો પર સુરત શહેર માંથી મૃતદેહો લાવવમાં આવી રહ્યા છે

જોકે સુરત શહેર ના સ્મશાન ગૃહ માં લાંબા સમય ની વેટીંગ હોવાથી સુરત મ્યુનીસીપલ કમિશ્નર દ્વારા ગ્રામ્ય વિસ્તાર ના સ્મશાન ગૃહ ના પ્રમુખ તેમજ ટ્રસ્ટી ઓ નો સંપર્ક કરવામાં આવ્યો હતો અને સુરત શહેર ના કોવિડ મૃતદેહો ને અગ્નિ સંસ્કાર માટે ની વાત કરતા તમામ સ્મશાન ગૃહો પર હાલ અંતિમ સંસ્કાર ની પ્રક્રિયા ચાલી રહી છે. કામરેજ ના ખોલવડ ખાતે આજે સવાર થી ૨૨ જેટલા મૃતદેહો ની અંતિમ ક્રિયા કરવામાં આવી છે. અને હજુ પણ સુરત શહેર વિસ્તારમાંથી મૃતદેહો અંતિમ ક્રિયા માટે લાવવમાં આવી રહ્યા છે

(8:13 pm IST)