Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

રાજપીપળા સહિત જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના ૩૫૬ જેવા કેસો નોંધાયા :36 લોકોના મોત

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં કોરોના કેસોમાં ૩૫૬ જેટલો વધારો થતા ચિંતાનો વિષય કહી શકાય.

નર્મદા જિલ્લા આરોગ્ય તંત્ર ના અથાગ પ્રયત્નો કરવા છતાં પણ નર્મદા જિલ્લામાં કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે, તારીખ ૨ મે થી ૮ મે સુધીમાં સાત દિવસમાં કોરોના કેસોમાં ૩૫૬ જેટલા નવા કેસો નો વધારો થયો છે અને કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે ખૂબ જ ઝડપથી વધી રહી છે. છેલ્લા સાત દિવસમાં રેકોર્ડ જોતા રવિવારે ૫૨, સોમવારે ૪૭ , મંગળવારે ૫૪, બુધવારે ૫૭, ગુરુવારે ૫૨, શુક્રવારે ૪૯ તથા શનિવારે ૪૫ એમ કુલ સાત દિવસમાં ૩૫૬ કોરોના નવા કેસ નોંધાયા છે. અને આ સાત દિવસોમાં ૩૬ જેટલા દર્દીઓના મૃત્યુ થયા છે જે ચિંતાનો વિષય કહી શકાય.
નર્મદા જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો મૃત્યુઆંક ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. તે ખૂબ ગંભીર બાબત છે નર્મદા જિલ્લામાં કોરોના કેસનો શનિવાર સુધી નો કુલ આક ૩૫૭૫ પર પહોંચ્યો છે. જિલ્લા માં કોરોના ખૂબ જ ઝડપથી હાવી થઈ રહ્યો છે તેમ જણાઇ રહ્યું છે.

(10:49 pm IST)