Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

અંતિમ મુદત વિત્‍યા પછીની દવાના પેકીંગમાં ફેરફાર કરી વેચવાનું કૃત્‍ય

ખોરાક ઔષધ નિયમન તંત્રના દરોડા : પોલીસ ફરીયાદ દાખલ

ગાંધીનગર, તા. ૧૦ : ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્‍યું કે, જનઆરોગ્‍ય સાથે ચેડા કરનાર વ્‍યક્‍તિઓ સામે કડક કાર્યવાહી કરવા સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેના ભાગરૂપે એક્‍સપાયર્ડ દવાઓનું રિલેબલીંગ કરી વેચાણ કરતા એકમો/વ્‍યક્‍તિઓને ત્‍યાં રાજ્‍યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા પાડી ‘સ્‍કર્વી' રોગમાં વપરાતા SCORBINT-C INJECTIONના રીલેબલીંગના કળત્‍યમાં સંડોવાયેલા તેજેન્‍દ્ર મહેશભાઇ ઠક્કર તેમજ પુજારા સ્‍વપનીલ મહેશભાઇ સામે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. 

શ્રી કોશિયાએ જણાવ્‍યું કે મળેલ બાતમીના આધારે તા.૦૨ જૂન-૨૦૨૩ના રોજ તંત્ર દ્વારા અમદાવાદના અમરાઇવાડી ખાતેની મે. મહાદેવ એજન્‍સીને ત્‍યાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ તપાસમાં ૪૪૪ નંગ દવાનું વેચાણ શંકાસ્‍પદ લાગતાં પૂછપરછ કરાઇ હતી. પૂછપરછ દરમિયાન તેજેન્‍દ્ર મહેશભાઇ ઠક્કરે જણાવ્‍યું કે તેઓ દ્વારા ઓરીજીનલ એક્ષપાયરી તા. ૦૩/૨૦૨૩ અને બેચ નં. NL21036 બદલી તેઓના કોમ્‍પ્‍યુટરમાં નવી એક્ષપાયરી તા.૦૯/૨૦૨૩ અને બેચ નં. NB21-07A પ્રિન્‍ટ કરી કાર્ટન પર લગાવવામાં આવ્‍યા હતા. જ્‍યારે દવાના વાયલ પરથી દવાનું નામ, બેચ નં., ઉત્‍પાદન તા., મુદ્દત વિત્‍યા તા. અને ઉત્‍પાદકનું નામ જેવી તમામ વિગતો લેબલ પરથી ભૂસી કાઢી આ એક્‍સપાયર્ડ પાંચ ઇન્‍જેક્‍શનો  મે. ને તા. ૨૨/૦૫/૨૦૨૩ વધુ તપાસમાં તેઓએ જણાવેલ કે નફો મેળવવાની લાલચમાં આ પાંચ ઇન્‍જેક્‍શનો પુજારા સ્‍વપનીલ મહેશભાઇની મદદથી લેબલ બદલી વેચાણ કરવામાં આવ્‍યું  હતું. આ દવા સ્‍કર્વી નામના ગંભીર પ્રકારના રોગમાં વપરાય છે. નફો મેળવવાની લાલચે એક્ષપાયર્ડ દવાનું રીલેબલીંગ કરી જનઆરોગ્‍ય સાથે ચેડા કરનાર ઇસમોએ અમરાઇવાડી પોલીસ સ્‍ટેશન ખાતે એફ.આઇ.આર. કરવામાં આવી છે.

તપાસ દરમ્‍યાન પાંચ ઇન્‍જેક્‍શનોમાંથી ચાર ઇન્‍જેક્‍શનોને વડોદરાની ખોરાક અને ઔષધ પ્રયોગશાળામાં  પળથ્‍થક્કરણ માટે મોકલી આપવામાં આવેલ છે અને બાકી રહેલ ૧ ઇન્‍જેક્‍શન નિવેદન હેઠળ રજૂ કરેલ છે તેમ ડો. કોશિયા જણાવે છે

 

(4:35 pm IST)