Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

ડાકોરમાં રવિવારે નીકળશે રથયાત્રા : રાજાધિરાજની દિવ્ય રથયાત્રાને લઇને તૈયારીઓ આખરી તબક્કામાં

ડાકોર મંદિરેથી સવારે 8.30 વાગે રથયાત્રા શરૂ થશે:બપોરે બે વાગે રથયાત્રા મંદિરે પરત ફરશે: રથયાત્રાના રુટ પર કર્ફ્યૂ જાહેર: મંદિરમાં ભક્તો માટે દર્શન બંધ રહેશે

ખેડાના પ્રસિદ્ધ ડાકોરના  રણછોડરાયજી મંદિરમાં 249મી રથયાત્રાને લઇને કોરોના ગાઇડ લાઇન સાથે રથયાત્રા યોજવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રવિવારના રોજ ડાકોરમાં સરકારની ગાઈડલાઇન મુજબ રથયાત્રા યોજાશે. રાજાધિરાજની રથયાત્રાને લઇને મંદિર તરફથી તૈયારીઓ આખરી તબક્કામાં છે.

 ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રથયાત્રા નિકાળવામાં આવશે. ડાકોર મંદિરેથી સવારે 8.30 વાગે રથયાત્રા શરૂ થશે અને બપોરે બે વાગે રથયાત્રા મંદિરે પરત ફરશે. જેમાં રથયાત્રાના રુટ પર કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. તેમજ રથયાત્રાના દિવસે ડાકોર મંદિરમાં ભક્તો માટે દર્શન બંધ રહેશે.

(9:20 am IST)