Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

પરેશભાઈ ધાનાણીએ અરવલ્લીના માલપુર ખાતે બળદગાડા, ઘોડાગાડી, ઉંટગાડી અને સાઈકલ રેલી કાઢીને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો વિરોધ કર્યો

કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર રાજયમાં મંદી, મોંઘવારી અને મહામારી સામે શરૂ કરવામાં આવેલ જનચેતના અભિયાન હેઠળ વિરોધપક્ષના નેતા : સમગ્ર રાજયના ૨૫૦ તાલુકાઓમાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ સવિનય કાનુન ભંગ સાથે લોકોની સમસ્યાઓ - વેદનાઓને વાચા આપવા માટે તાલુકે તાલુકે આ આંદોલનને આગળ ધપાવવાનો વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીનો હુંકાર

રાજકોટ,તા.૧૦ : કોંગ્રેસ પક્ષ દ્વારા ૭મી જુલાઈથી સમગ્ર રાજયમાં મંદી, મોંઘવારી અને મહામારી સામે શરૂ કરવામાં આવેલ જનચેતના અભિયાન હેઠળ વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ અરવલ્લીના માલપુર ખાતે બળદગાડા, ઘોડાગાડી, ઉંટગાડી અને સાઈકલ રેલી કાઢીને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો વિરોધ કર્યો હતો.

  ગુજરાતની સાડા છ કરોડ સહિત દેશની જનતા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી તોબા પોકારી રહી છે અને બેફામ ભાવ વધારાના કારણે આજે કરીયાણું, ગંધીયાણું સહિતની તમામ જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે ત્યારે સામાન્ય માણસને પરિવારનું ગુજરાત ચલાવવું અને જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે. ગરીબ અને મધ્યમ વર્ગ મોંઘાવારીના કારમા ચક્કરમાં સપડાયો છે. આમ છતાં ભાજપ સરકારના પેટનું પાણી હલતું નથી ત્યારે કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા સામાન્ય જનતાનો રક્ષક બનીને બીજી આઝાદીની લડાઈ શરૂ કરેલ છે. સમગ્ર રાજયના ૨૫૦ તાલુકાઓમાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ સવિનય કાનુન ભંગ સાથે લોકોની સમસ્યાઓ - વેદનાઓને વાચા આપવા માટે તાલુકે તાલુકે આ આંદોલનને આગળ ધપાવવાનો વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ હુંકાર કર્યો હતો.

કોરોના મહામારીથી પરેશાન રાજયના લોકોને મોંઘવારીમાંથી છૂટકારો અપાવવા માટે કોંગ્રેસે આદરેલું આંદોલન ગામડાં સુધી લઈ જવામાં આવશે. સરકાર ધારે તો જનતાને રાહત આપવા માટે પેટ્રોલ-ડીઝલની એકસાઈઝ ડ્યૂટી સહિતના ટેકસ ઘટાડીને રાહત આપી શકે છે, પરંતુ મોંઘવારી દૂર કરવાના રૂપાળા સૂત્રો આપીને સત્ત્।ામાં આવેલી ભાજપ સરકાર પોતાના ખર્ચા ઘટાડતી નથી.

(11:35 am IST)