Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

સાવલીના રસુલપુર ખાતે મહીસાગર નદીમાં ડૂબી જવાથી એક વિદ્યાર્થીની અને એક વિદ્યાર્થીનું મોત : એકને બચાવી લેવાયો

વડોદરાનાં 12 તબીબ વિદ્યાર્થીઓનું એક ગ્રુપ રસુલપુર ફરવા ગયા હતા : નહાવા પડ્યા ત્યારે પાણીના વહેણમાં તણાયા

વડોદરા:સાવલીના રસુલપુર ખાતે મહીસાગર નદીમાં ડૂબી જવાથી એક વિદ્યાર્થીની અને એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે,વડોદરાનાં 12 તબીબ વિદ્યાર્થીઓનું એક ગ્રુપ રસુલપુર ફરવા ગયા હતા. સાવલીના રસુલપુર ખાતે મહીસાગર નદીમાં આ મિત્રો નાહવા પડ્યા હતા. તે દરમિયાન ડૂબવાથી એક વિદ્યાર્થિની અને એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક વિદ્યાર્થીને ગામ લોકોએ બચાવી લીધો છે.


આ અંગે મળતી માહિતી પ્રમાણે, વડોદરાના 12 તબીબ વિદ્યાર્થીઓનું એક ગ્રુપ ફરવા નીકળ્યા હતા. જેમાં આજે સવારે સાવલીનાં રસુલપુર ખાતે મહીસાગર નદીમાં નાહવા પડ્યા હતા. જ્યાં નદીમાં અચાનક વહેણ આવી જતા ત્યાં નાહકા અનેક લોકો પાણીમાં ખેંચાયા હતા. પરંતુ તેમાંથી આ બે વિદ્યાર્થીઓ ઉંડે સુધી પાણીનાં વહેણમાં ખેંચાયા હતા. હાલ આ સમાચારથી આખી તબીબી કોલેજમાં ચકચાર મચી ગઇ છે. આ સમાચાર વાયુવેગે પ્રસરી રહ્યાં છે.

(1:13 pm IST)