Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

મહેમદાવાદમાં પૈસાની ઉઘરાણી મામલે ચાર કિન્નરો વચ્ચે થયેલ ઝઘડામાં મારામારી થતા પોલીસ ફરિયાદ

મહેમદાવાદ: શહેરની  સર્વોદય સોસાયટી પાછળના રોડ પર અમદાવાદના કિન્નરોને મહેમદાવાદના ચાર કિન્નરો સાથે જજમાનવૃતિ કરવા અંગે ઝઘડો થયો હતો.આ બનાવમાં બોલાચાલી ઉગ્ર બનતા મારામારીમાં પરિણમી હતી.વળી મહેમદાવાદના કિન્નરો રોકડ અને સોનાની લૂટ કરી ફરાર થઇ ગયા હોવાનુ ફરિયાદમાં નોધાયુ છે.

મળતી વિગતો અનુસાર અમદાવાદના વાસણામાં રહેતા સોમીયાદે અને સપનાદે કિન્નર મહેમદાવાદ વિસ્તારમાં જજમાનવૃતિ કરવા માટે આવ્યા હતા.તે સમયે મહેમદાવાદ શહેરની સર્વોદય સોસાયટી પાછળ આવેલ રોડ પર હતા તે સમયે મહેમદાવાદના હલદે,નીકીદે,નતાશાદે અને ચાંદનીદે કિન્નર રીક્ષામાં આવ્યા હતા.અને ચારેય વ્યક્તિઓ ગમે તેમ ગાળો બોલી કહેલ કે આ વિસ્તાર અમારો છે,તમે અહી કેમ આવો છો,તેમ કહી ચારેય વ્યક્તિઓ ગડદાપાટુનો મારમારવા લાગ્યા હતા.વળી નીકીદે કિન્નરે નજીકમાંથી લાકડી લઇ આવી સોમીયાદે કિન્નરને મારમાર્યો હતો.તે સમયે સપનાદે કિન્નર વચ્ચે છોડાવવા પડતા તેમને પણ ચારેય વ્યક્તિઓએ મારમાર્યો હતો.આ બનાવમાં સોમીયાદે કિન્નરે પહેરેલ સોનાની બુટ્ટી કિ.રૂા.૭,૦૦૦ અને રોકડ રૂા.૮૦૦૦ નેહલદે કિન્નર ઝૂંટવી રીક્ષામાં બેસી ફરાર થઇ ગયા હતા.આ બનાવ અંગે સોમીયાદે કિન્નરે મહેમદાવાદ પોલીસ મથકે ચાર વ્યક્તિઓ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(6:14 pm IST)