Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે સુરતની મુલાકાતે

મુખ્યમંત્રી સુરત ખાતે પાલ-ઉમરા બ્રિજ સહિત વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરશે

અમદાવાદ :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલ રવિવાર તારીખ  11  જુલાઇના રોજ બપોરે સુરતની મુલાકાત લેશે.

  મુખ્યમંત્રી રૂપાણી સુરત ખાતે સૌપ્રથમ ખજોદ સ્થિત સુરત ડાયમંડ બુર્સની  મુલાકાત લેશે. ત્યારબાદ પાલ-ઉમરા બ્રિજ સહિત સુરત મહાનગરપાલિકાના   વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરશે.
  મુખ્યમંત્રી રૂપાણી આવતીકાલે કન્વેન્શન હોલ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત કાર્યક્રમમાં  પૂર્વ મંત્રી નરોત્તમભાઈ પટેલ લિખિત 'અંતરના ઝરૂખેથી'  પુસ્તકનું વિમોચન પણ કરશે.

(6:16 pm IST)