Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

રાજપીપળા દરબાર રોડ ગાયત્રી મંદિરમાં ઝાડ કાપવા તંત્રને અરજી આપ્યાને 5 મહિના બાદ કોઈજ કાર્યવાહી ન થઈ

શુ તંત્ર કોઈનો ભોગ લેવાઈ તેની રાહ જોયા બાદ નડતરરૂપ આ ઝાડનું કટિંગ કરાવશે..??

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા દરબાર રોડ સ્થિત ગાયત્રી મંદિરમાં વર્ષો જૂનું જોખમી એક વૃક્ષ નજીક વીજળીના તાર ઉપર પડે તેવી હાલત માં છે અને ત્યાં શેરી પણ એકદમ નાની હોય સ્થાનિક રહીશોના માથે જોખમ મંડરાઇ રહ્યું હોવાથી આ બાબતે રાજપીપળા ખાતેની નાંદોદ મામલતદાર કચેરીમાં ગત 22 જૂને સ્થાનિક રહીશોએ આ જોખમી ઝાડ દૂર કરવા રજુઆત કરવા છતાં આજે આ વાત ને પાંચ મહિના જેવો સમય થયો હોવા છતાં તંત્રને આવા નાના કામોમાં ફુરસદ નથી તો શું કોઈનો ભોગ લેવાયા બાદ તંત્ર હરકતમાં આવશે..?મામલતદાર, પાલીકા કે લાગતા વળગતા વિભાગ આ બાબતને ગંભીરતા થી લઈ યોગ્ય કરે તેવી માંગ ઉઠી છે.

(11:49 pm IST)