Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

ગુજરાતમાં પ્રદૂષણ ઘટાડવા અને ગ્રીન એનર્જીનો વ્યાપ વધારવા ૨ વર્ષમાં નવા ૩૮૪ સીઅનેજી સ્ટેશનો શરૂ કરાયા : નવા ૧૬૪ કાર્યરત કરાશે : વિજયભાઇ રૂપાણી

રાજ્ય સરકારના સાહસ ગુજરાત ગેસ કંપની આયોજીત ઇ-વિતરણ સમારોહમાં મુખ્યમંત્રીનું સંબોધન

અમદાવાદ,તા.૧૦: ગુજરાતમાં સીએમ વિજય રૂપાણીએ વાહનોથી થતા પ્રદૂષણમાં ઘટાડો કરવા તેમજ ગ્રીન એનર્જીનો વ્યાપ વિસ્તારવા CNGના વાહનચાલકોને સરળતાથી CNG ગેસ મળી રહે તે હેતુસર પ્રદૂષણમુકત CNGના ઉપયોગ વ્યાપક બનાવવા નવી પહેલ શરૂ કરાઈ છે. સીએમએ વધુમાં જણાવ્યું કે, રાજયમાં છેલ્લાં ૨૩ વર્ષમાં ૫૪૨ CNG સ્ટેશન હતાં તેની સામે છેલ્લાં બે જ વર્ષમાં ૩૮૪ CNG સ્ટેશનો આપણે ત્યાં ઊભા કરવામાં આવ્યાં છે. સીએમ રૂપાણીએ રાજયમાં CNG સહભાગી યોજના અન્વયે વધુ ૧૬૪ CNG ફિલીંગ સ્ટેશન્સના લેટર ઓફ ઇન્ટેન્ટ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા અર્પણ કર્યાં હતાં.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં નિવેદન આપતા જણાવ્યું કે, 'CNG સહભાગી યોજના શરૂ કરી ત્યારે ૩૦૦ CNG સ્ટેશન શરૂ કરવાનો લક્ષ્યાંક હતો. જેની સામે આજે ૩૮૪ સ્ટેશનો રાજયમાં ઊભા કરાયા છે. સમગ્ર દેશમાં ૨૩૦૦ CNGફિલીંગ સ્ટેશન્સ સામે માત્ર ગુજરાતમાં જ ૬૯૦ એટલે કે કુલ CNG સ્ટેશનના ૩૦ ટકા CNG સ્ટેશન્સ છે તેમ પણ તેમણે જણાવ્યું.

રાજયમાં વધુને વધુ CNG સ્ટેશન શરૂ કરીને કયાંય પણ કોઇ વાહનધારકને CNG માટે લાંબી લાઇનમાં ઊભા રહેવું ન પડે તેવી સ્થિતીનું આપણે નિર્માણ કરવાનું છે. આ સિવાય રાજયમાં આગામી દિવસોમાં ૯૦૦ CNG સ્ટેશનો કાર્યરત કરવાનો લક્ષ્યાંક પણ તબક્કા વાર પાર પાડવાની ભલામણ સીએમએ વ્યકત કરી હતી. ગુજરાત ગેસ કંપની લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડને આ માટેનું ઇન્ફ્રાસ્ટ્રકચર અને કેપેસિટી બિલ્ડીંગ માટે આયોજન ઘડી કાઢવા સૂચન પણ કર્યું હતું.

નોંધનીય છે કે, રાજય સરકારના સાહસ ગુજરાત ગેસ કંપની દ્વારા આયોજિત ઇ-વિતરણ સમારોહમાં સીએમ રૂપાણીએ જણાવ્યું કે, રાજયમાં પર્યાવરણ શુદ્ઘતા જળવાઇ રહે અને પ્રદૂષણ નિયંત્રણ સાથે વિકાસની ગતિ પણ જારી રહે તેવો રાજય સરકારનો સ્પષ્ટ અભિગમ છે. આ હેતુસર રાજયમાં CNG અને PNGના વધુ ઉપયોગ થાય તેવું સુદ્રઢ આયોજન કરાયું છે.

ગ્લોબલ વોર્મિંગના પડકારોને ઝિલી લઇ તેની સામે ઝિરો ટોલરન્સ સાથે આપણે પર્યાવરણ સુરક્ષાના સંતુલન અને વિકાસની ગતિ જારી રાખવી છે જેવું સીએમએ જણાવ્યું હતું. ગુજરાતે ઘ્ફઞ્ વાહનોથી પ્રદૂષણ અટકે એ માટે પેટ્રોલ-ડિઝલના ઇંધણ વિકલ્પરૂપે CNGના પ્રોત્સાહન આપવાની પહેલ કરી છે. ઉપરાંત સીએમએ નવા CNG ફિલીંગ સ્ટેશન્સ સંચાલકોને પણ સુખ-સમૃદ્ઘિની શુભેચ્છાઓ પાઠવી હતી.

પર્યાવરણ સુરક્ષા સાથે વિકાસની ગતિ પણ આપણે કોરોના સંક્રમણ કાળમાં જાળવી રાખી છે તેવું વિજય રૂપાણીએ જણાવ્યું હતું. ૧૩ હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસના કામો થયા છે. માત્ર એટલું જ નહીં, ગિરનાર રોપ-વે, સી-પ્લેન, હજીરા-ઘોઘા રો પેક્ષ સેવાઓ, ડિઝીટલ સેવા સેતુ, સાત પગલાં ખેડૂત કલ્યાણના જેવી જનહિત યોજનાઓથી ગુજરાતને ઉત્ત્।મથી સર્વોત્ત્।મ બનાવવાની પણ દિશા લીધી છે.

સ્વાગત પ્રવચનમાં ઊર્જાના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સુનયના તોમરે ઘ્ફઞ્ સહભાગી યોજનાની વિસ્તૃત રૂપરેખા આપી હતી. જે દરમ્યાન સીએમદ્ગક્ન અધિક મુખ્ય સચિવ અને ઉદ્યોગ અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, GSPCના એમ.ડી. સંજીવકુમાર તેમજ ગુજરાત ગેસ અને સાબરમતી ગેસ લિ.ના વરિષ્ઠ અધિકારીઓ પણ ગાંધીનગરથી સહભાગી થયા હતાં. સીએમ રૂપાણીએ પ્રતિકરૂપે પાંચ લાભાર્થીઓને 'લેટર ઓફ ઇન્ટેટ'પણ અર્પણ કર્યાં હતાં.

(11:37 am IST)