Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

રાજયપાલને ગોમય દિવડાની ભેટ

 રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરીયાની પ્રેરણાથી આ વર્ષે ગૌમાતાના ગોબરમાંથી બનેલ દિવડા પ્રગટે તે માટે 'કામધેનુ દિપાવલી અભિયાન' શરૂ કરાયુ છે. તાજેતરમાં રાજપાલ આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લઇ તેમને પણ ગોમય દિવડા ભેટ અપાયા હતા. આત્મ નિર્ભર અને વોકલ ફોર લોકલને સમર્થન કરતા આ અભિયાન અંગે તેઓને માહીતગાર કરાયા હતા. આ મુલાકાત દરમિયાન ડો. વલ્લભભાઇ કથીરીયા સાથે મિતલ ખેતાણી, મયુર ઠકકર, સુનિલ કાનપરીયા, રાહુલ શેઠ, ડો. ભાવિન કથીરીયા, દીનતા કથીરીયા વગેરે પણ જોડાયા હતા.

(2:48 pm IST)