Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

૬૩ નાયબ કલેકટરોને અધિક કલેકટર પદે બઢતી : ટુંક સમયમાં બદલી

જેગોડા, વદર, ખાચર, જનવંત, મૂછાર, વસૈયા વગેરેનો સમાવેશ

રાજકોટ, તા.૧૦ : રાજય સરકારે ડે. કલેકટર કક્ષાના ૬૩ અધિકારીઓને અધિક કલેકટર પદે બઢતી આપી છે. હાલ લગભગ તમામને યથાવત રખાયા છે. ટુંક સમયમાં બદલીના ધાણવા વખતે નવી નિમણૂંકો અપાશે.  બઢતી મેળવનારા ડે. કલેકટરોમાં પોરબંદરના એ.જે. અસારી, સુરેન્દ્રનગરના બી.કે. જોષી, બોટાદના ડી.આઇ. ભગલાણી, મોરબીના પી.બી. વસૈયા, રાજકોટના એન.આર. ધાધલ, ભાવનગર બી.એમ. ખેર, જુનાગઢના આર.ડી. સરવૈયા, જામનગરના એમ.એમ. જોષી, ગિર સોમનાથના વી.એમ. પ્રજાપતિ, એમ.કે. પટેલ, ગાંધીનગર સ્કુટી કામગીરીના જશવંત જેગોડા વગેરેનો સમાવેશ થાય છે.

(2:48 pm IST)