Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

પ્રવર્તમાન કોરોના સંક્રમણ પરિસ્થિતિને અનુલક્ષીને મુખ્યમંત્રીશ્રીનો નૂતન વર્ષાભિનંદન મિલન સમારોહ આ વર્ષે મોકૂફ

તા.૧૬ નવેમ્બર -૨૦૨૦ના નૂતન વર્ષ દિને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો પ્રજાજનો નાગરિકો સાથે નૂતન વર્ષ શુભેચ્છા આદાન-પ્રદાન કાર્યક્રમ યોજાશે નહિ

રાજકોટ, તા.૧૦: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન કોરોના (કોવિડ-૧૯) મહામારીની સર્જાયેલી સ્થિતીને ધ્યાને લઇ આગામી તા.૧૬ નવેમ્બર-ર૦ર૦ના નૂતનવર્ષ દિન નિમિત્ત્।ે પ્રજાજનો-નાગરિકો સાથે શુભેચ્છા આદાન-પ્રદાનનો યોજાનારો નૂતન વર્ષાભિનંદન મિલન સમારંભ આ વર્ષે મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.

તદઅનુસાર, મુખ્યમંત્રીશ્રી દ્વારા દર વર્ષે પ્રજાજનો સાથે નૂતનવર્ષ શુભેચ્છા આદાન-પ્રદાનનો નૂતનવર્ષ દિને યોજાતો પરંપરાગત નૂતન વર્ષાભિનંદન સ્નેહ મિલન સમારોહ આ વર્ષે યોજાશે નહિ.

સૌ નાગરિક-ભાઇ બહેનોને આ અંગેની નોંધ લેવા સામાન્ય વહિવટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

(3:32 pm IST)