Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

રાજ્યમાં કોરોના ટાઢો પડ્યો : વધુ 746 દર્દીઓ સ્વસ્થ થયા : નવા 615 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 3 લોકોના મોત : મૃત્યુઆંક 4347 થયો : કુલ 2,40,517 લોકોએ કોરોનાને હરાવ્યો

રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 128 કેસ, સુરતમાં 129, કેસ, વડોદરામાં 119 કેસ, રાજકોટમાં 60 કેસ, ગાંધીનગરમાં 19 કેસ, દાહોદ અને જામનગરમાં 14 - 14 કેસ, મહેસાણામાં 12 કેસ, કચ્છમાં 11 કેસ, ખેડામાં 10 કેસ નોંધાયા : રાજ્યમાં હાલમાં 7695 એક્ટિવ કેસ : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે  આજે રાજ્યમાં 615 નવા કેસ નોંધાય છે જયારે આજે વધુ 746 દર્દીઓ રિકવર થયા છે  છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા 1000થી ઓછી  થઇ રહી  છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 615 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 746 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 2,40,517 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં વધુ 3 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે આ સાથે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4347 થયો છે  રાજ્યમાં રિકવરી રેટ 95,23 થયો છે

  રાજ્યમાં હાલ 7829 એક્ટિવ કેસ છે. જેમાંથી 60 દર્દીઓ વેન્ટિલેટર પર છે  જયારે 7635 દીઓ સ્ટેબલ છે,

  રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 1 મળીને કુલ 3 લોકોના કોરોનાથી મોત થયા છે 

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 615 પોઝિટિવ  કેસમાં રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 128 કેસ, સુરતમાં 129, કેસ,વડોદરામાં 119 કેસ, રાજકોટમાં 60 કેસ, ગાંધીનગરમાં 19 કેસ,દાહોદ અને જામનગરમાં 14 - 14 કેસ, મહેસાણામાં 12 કેસ, કચ્છમાં 11 કેસ, ખેડામાં 10 કેસ નોંધાયા છે

(8:30 pm IST)