Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

નડિયાદમાં તસ્કરોનો તરખાટ: વિસ્તારમાં ઘરને નિશાન બનાવી રોકડ સહીત દાગીનાની ઉઠાંતરી

નડિયાદ : નડિયાદ શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે.શહેરના એક વિસ્તારમાં આવેલ ઘરમાં રોકડ,સોનુ અને ચાંદી લઇ અજાણ્યા ચોરઇસમો ફરાર થઇગયાહોવાની ધટના ધટી છે.જો કે આ લખાઇ છે ત્યા સુધી આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોધાઇ હોવાનુ પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યુ છે.

નડિયાદનાચકલાસી ભાગોળથી ફતેપુરારોડ તરફ આવેલ નવાપર ફળિયામાં  ગતમોડી રાતે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો.નવાપરા ફળિયામાં નરસિંહભાઇ તળપદા ગતરાત્રીના રોજ કોઇ અજાણ્યા ચોર ઇસમો ઘરમાં પ્રવેશી ચોરી કરી ફરાર થઇ ગયા હતા. નરસિંહભાઇ અને તેમનોપરિવાર માતાજીની બાધા કરવા ધારી ગયા હતા.બાધા પૂર્ણ કરી પરત આવતા મકાનના દરવાજાઓ ખુલ્લા હતા.આ અંગે મળતીવધુ વિગતો અનુસાર ધરની પાછળથી અજાણ્યા ચોર ઇસમો પ્રવેશ્યા હતા.ઘરની તિજોરી ખુલ્લી હતી અને કપડા સોનુ,ચાંદી અને રોકડરૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.આ અંગે ચર્ચાતી વાતો અનુસાર  ૮ લાખ રોકડ,૧૫ તોલા સોનુ અને ૫ કિલો ચાંદી લઇ ગયા છે.સ્થાનિક નાગરિકોએ જણાવ્યુ હતુકે નજીકના દિવસોમાં નરસિંહના દિકરાનુ લગ્ન હતુ.જેથી પૈસા અને સોનુ-ચાંદી લાવીને મૂકયુ હતુ.જો કે આ લખાઇ છે ત્યા સુધી આ બનાવ અંગે સ્થાનિક પોલીસ મથકમાંકોઇ ફરિયાદ નોધાઇ ન હોવાનુ પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યુ છે.

(6:18 pm IST)