Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

રાજપીપળામાં આયુર્વેદિક ઉકાળા વિતરણ નો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોનાના કેસ વધતા રાજપીપળા શહેરમાં આજથી 12 જગ્યા પર આયુર્વેદિક શાખા દ્વારા આયુર્વેદિક  ઉકાળા વિતરણની શરૂઆત કરવામાં આવી છે જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

રાજપીપળા શહેરમાં આજથી 12 જગ્યા પર ત્રણ દિવસ માટે આયુર્વેદિક ઉકળાનું વિતરણ આયુર્વેદિક શાખા નર્મદા દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે જેમાં રાજપીપળા દરબાર રોડ પુસ્તકાલય, ગાંધી પેટ્રોલ પંપ સહિતના જાહેર સ્થળો ઉપર આ ઉકાળાનું વિતરણ ચાલુ કરાયું છે જેનો લોકો એ લાભ લેવા આયુર્વેદિક શાખા દ્વારા કરવામાં આવ્યું છે

(10:18 pm IST)