Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

ગુમ થયેલા જૈન સાધ્વીજી કીર્તિકાએ જીવ બચાવવા કલાકો સુધી નદી પાસે છુપાઈ ગયા હોવાનું પોલીસને જણાવ્યું

અમદાવાદ : તાજેતરમાં જૈન સાધ્વી સાધ્વી કીર્તિકા કલાકો સુધી લાપતા રહ્યા પછી હવે તેઓ મળી આવ્યા છે અને પોલીસને તેમણે જણાવ્યું હતું કે ગુરુવારે વહેલી સવારે  લઘુશંકાએ ગયા ત્યારે કેટલાક લોકોએ તેનો પીછો કર્યો હતો આથી જીવ બચાવવા માટે ૧૨ થી ૧૫  કલાક સુધી તેઓ નદી પાસેની આડસમાં છૂપાઈ રહ્યાં હતા. પોલીસે વિશેષ તપાસ શરૂ કરી છે. જૈન સાધ્વી કીર્તિકાને પણ સાથે રાખ્યા હતા. તેઓ વહેલી સવારે ચાર વાગ્યા આસપાસ લઘુશંકાએ ગયા ત્યારે બે અજાણ્યા શખ્સોનો તેમને આભાસ થયો હતો. પોતાનો જીવ બચાવવા માટે કલાકો સુધી નદી કિનારે છુપાઈ રહ્યાનું પોલીસને જણાવેલ.

આ પહેલા હિંમતનગર - શામળાજી હાઇવે ઉપર ઉદયપુર તરફ જઈ રહેલા એક જૈન  મહારાજશ્રીએ રાત્રિ રોકાણ પ્રાથમિક શાળામાં કર્યું ત્યારે તેમના ઉપર કેટલાક તત્ત્વોએ હુમલો કરી લોહીલુહાણ કરી નાખ્યાની પણ વિગતો બહાર આવી રહી છે.

(8:25 pm IST)